IPLની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. એવી આશંકા છે કે CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે આ મેચમાંથી ખસી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ધોનીને પ્રેક્ટિસ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તે ઘણી પાછળથી બેટિંગ કરવા ગયો હતો. ધોની ગુરુવારે CSKના પ્રેક્ટિસ સેશનમાં હાજર રહ્યો ન હતો. ત્યારથી એવી આશંકા છે કે તે પ્રથમ મેચ નહીં રમે. જોકે ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે ધોની રમશે. ધોનીને બદલે ચેન્નાઈની કપ્તાની બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા અથવા ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી શકે છે. ટીમ પાસે ડેવોન કોનવે અને અંબાતી રાયડુ જેવા કીપર છે, જે વિકેટ પાછળની જવાબદારી સંભાળી શકે છે.
CEOએ કહ્યું- ધોની રમશે, અન્ય કોઈ વિશે કોઈ માહિતી નથી
ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથનને એક સ્પોર્ટ્સ વેબસાઈટ દ્વારા ધોનીની ઈજા અને તેના રમવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. વિશ્વનાથને કહ્યું- જ્યાં સુધી મને ખબર છે, અમારો કેપ્ટન 100 ટકા રમશે. આ સિવાય મને અન્ય કોઈ પણ જાણકારી નથી.
યુવા ફાસ્ટ બોલર ચૌધરી પહેલેથી જ IPLમાંથી બહાર છે
CSKનો યુવા ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી ઈજાના કારણે પહેલા જ IPLમાંથી બહાર થઈ ગયો છે. મુકેશને પીઠમાં ઈજા થઈ છે. મુકેશ પણ ગુજરાત સામેની મેચના એક દિવસ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. ભારતનો અંડર-19 ખેલાડી આકાશ સિંહ તેનું સ્થાન લેશે. આકાશે 2020 અંડર 19 વર્લ્ડ કપમાં સારો દેખાવ કર્યો હતો. તેણે 6 મેચમાં 7 વિકેટ લીધી હતી.
ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે
ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. ગત સિઝનમાં એક મેચ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે સંન્યાસ લેવા જઈ રહ્યો છે. તો ધોનીએ આના જવાબમાં કહ્યું હતું કે જ્યારે પણ હું નિવૃત્તિ લઈશ ત્યારે મારા ઘરેલું ચાહકોની વચ્ચે નિવૃત્તિ લઈશ. આ વખતે CSK 14મી મેના રોજ તેમના હોમ ગ્રાઉન્ડ પર લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. ટીમે તેની છેલ્લી હોમ મેચ 7 મે 2019ના રોજ રમી હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની તે મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમી હતી.
હવે તો બસ કરો, મોંઘવારી ઓછી હોય એમ ફરીવાર દૂધના ભાવમાં થશે તોતિંગ વધારો, સીધા આટલા રૂપિયા વધી જશે
VIDEO: ગુજરાતમાં સદીઓના ઈતિહાસ પલટાયા, કિર્તીદાનના લોકડાયરામાં પ્રથમ વખત સોના-ચાંદીના સિક્કાનો વરસાદ
ધોનીની કેપ્ટનશીપમાં CSK ચાર વખત ચેમ્પિયન બની છે.
ભારતીય લીગમાં MI પછી CSK ટીમ સૌથી સફળ ટીમ છે. MIએ 5 ટાઇટલ જીત્યા છે, જ્યારે CSKએ ધોનીની કેપ્ટન્સીમાં 4 ટાઇટલ જીત્યા છે. CSK ટીમે ધોનીની કેપ્ટન્સીમાં 2010માં પહેલો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2011 અને 2018માં ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચેમ્પિયન બની હતી. અને છેલ્લી વખત તેણે 2021માં ટાઈટલ જીત્યું હતું. ત્યારે પણ ધોની CSKનો કેપ્ટન હતો.