માવઠાંએ તો ભારે કરી: કેરીને માર્કેટમાં આવવા માટે પણ ફાંફાં પડશે, જાણો શું છે ચિંતાના સમાચાર

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં ગુજરાતમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે એ જ કહેવું અશક્ય છે. કારણ કે ગમે ત્યારે મેઘરાજા ધબધબાટી બોલાવે તો ગમે ત્યારે આકરો તાપ સહન કરવો પડે છે. એવામાં પાકને પણ મબલક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ગીરના વાતાવરણમાં પણ અચાનક રોજ પલટો આવી રહ્યો છે. જેને લઈને ભરઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા અહીંના ઉના, ગીર ગઢડા અને તાલાલામાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો એ વાત આખા ગુજરાતમાં વાયરલ છે.

જો આજના વાતાવરણની વાત કરીએ તો તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખાસ કેરીના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ભારે વરસાદ પડતાં અહીંના કેરી પકવતા ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે અને ચોધાર આસુંએ રડવાનો વારો આવ્યો છે. ગઈકાલે આજની જેમ જ સાસણ, ગીર અને મેંદરડા આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને આજે ફરી એક વખત મેઘરાજાએ ગીરમાં ધબધબાટી બોલાવી છે.

આજે વહેલી સવારથી જ ગીર સોમનાથના તાલાલાના જાવંત્રી ગામે સવારે 9 કલાક આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો, તો તાલાલાના ધાવા, માધુપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પહેલા જ પડી ચૂક્યો છે અને જેનાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એ જ રીતે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાએ જગતના તાતને નિરાશ કર્યો છે. જાવંત્રી ગામના ખેડૂતોના મતે આજે જે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેની અસર 5-6 દિવસ બાદ ખેડૂતોમાં પાકને લઈને જોવા મળશે.

આ વાતનું કારણ આપતા ખેડૂતોએ કહ્યું કે વરસાદ વરસ્યા બાદ થોડા દિવસ પછી આંબા પરની કેરી નીચે ખરી પડે છે. નાની કેરીના બજારમાં ભાવ પણ યોગ્ય પ્રમાણમાં મળતા નથી, હજુ તો અમુક આંબામાં કેરીના ફૂલ છે અને કેરીએ નાની નાની છે. જેથી માર્કેટમાં કેરી આવશે કે કેમ એ કહેવું પણ અશક્ય છે.

સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે

તલાટીની પરીક્ષાને લઈ મોટા સમાચાર, સંભવિત તારીખમાં ફરીથી ફેરફાર, હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી નવી તારીખ, જાણી લો

આ વિસ્તારમાં ખેડૂતોને મફતમાં મળી રહી છે 1500 ગાય-ભેંસ, ઘાંસ-ચારાના પૈસા પણ સરકાર આપશે, જાણો શું છે સ્કીમ

કારણ કે જો આ રીતે જ વરસાદ ખાબકતો રહેશે તો કેરીનો ફાલ જ પાકશે નહીં અને ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવશે. વર્તમાન વર્ષ કેસર કેરીના પાક માટે સારું માનવામાં આવી રહ્યું હતું અને મબલખ કેસર માર્કેટમાં આવવાની ખેડૂતોને આશા હતી. જોકે, ઉપરા ઉપરી ત્રણ વખત કમોસમી વરસાદ અને પવનના કારણે જે નુકશાન થયું છે, તેનાથી મનાઇ રહ્યું છે કે હવે ઉત્પાદન ઘટશે અને કેરીરસિકો માટે કેરી મોંઘી થશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે માર્કેટમાં કેરી આવશે કે કેમ અને આવશે તો ભાવ પણ એવા જ ફાડી નાખે એવા હશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly