પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી વાર ડાયરામાં સોના ચાંદીના સિક્કા ઉડાવ્યા હતા. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. એટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો.
આ જોઈને ખુદ કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા.ગુજરાતમાં લોકગાયકો પર રુપિયાનો વરસાદ થવો હવે એક સામાન્ય વાત છે. ત્યારે સોશિયલ મીડિયામાં રુપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો કિર્તીદાન ગઢવીનો પણ વાયરલ થઈ રહ્યો છે.
આ લોકડાયરા વિશે વિશેષ વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી. લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ થયો હતો. એટલું ઓછું હોય તેમ કીર્તિદાન ગઢવી પર ચાંદી અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.
ગેસ સિલિન્ડરથી લઈને સોનાના ભાવ સુધી… પહેલી એપ્રિલથી થનારા આ 6 ફેરફારો તમારા ઘરના બજેટને ખોરવી નાખશે
પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં આ રીતે રૂ.1 કરોડની નોટો ઉડી હતી. ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયા હોવાની વાત હાલમાં આખા રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય છે.