મોરારી બાપુની 20 એવી તસવીરો કે જે તમે ક્યાંય નહીં જોય હોય! અહીં જુઓ બાપુના બાળપણથી લઈને અત્યાર સુધીની ફોટો ઝલક

Lok Patrika
By Lok Patrika
Share this Article

જામનગર નજીક ખાવડી ખાતે રિલાયન્સ ફેક્ટરીનો શિલાન્યાસ શ્રીધીરૂભાઇ અંબાણીએ કરેલો એ વખતે ત્યાં મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવેલું.

તે વખતે ધીરૂભાઇ અંબાણીને બાપુએ સવાલ કરેલો કે,”આટલે દુરથી લોકો અહીં રોજી રળવા આવશે ત્યારે એના ભોજનનું શું?”

આ રીતે પ્રેરણા આપનાર મોરારી બાપુને આજે કોઈ પરિચયની જરૂર નથી. ઘણા વર્ષોથી ગુજરાત અને ભારત સહિત વિશ્વભરમાં રામચરિત-માનસના આવા જીવન-પરિવર્તક મંત્રો ગુંજે છે.

લોકોને રામાયણની સાચી ઓળખ મળી છે. રામકથા તરફ લોકોનો પ્રવાહ આકર્ષાયો છે.અ ને આનો શ્રેય જાય છે વંદનીય શ્રીમોરારીબાપુને!

વિશ્વભરમાં રહેતા ધર્મભાવિકો આજે મોરારીબાપુને ઓળખે છે, બાપુની રામકથામાં ઓતપ્રોત બને છે.

પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે તેમની દરેક કથામાં નવિનતા હોય છે.વૃધ્ધો તો ખરા જ પરંતુ યુવાનોનો પણ બહોળો વર્ગ રામકથા પ્રત્યે આકર્ષિત થયો એ બાપુની વાણી અને અદ્ભુત શૈલીનો જ તો પ્રભાવ છે!

૮૦૦ ઉપરાંત રામકથાઓ મોરારીબાપુએ વિશ્વના ખુણે-ખુણે જઇને કરી છે,આજે પણ તેનો અવિરત પ્રવાહ ચાલુ છે.

મોરારીબાપુનો જન્મ ભાવનગર જીલ્લાના મહુવ તાલુકાના તલગાજરડા ગામે ૨૫ સપ્ટેમ્બર,૧૯૪૬ના દિવસે એક વૈષ્ણવ પરીવારમાં થયેલો.

તેમનું આખું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી.મોરારીબાપુના દાદાશ્રી ત્રિભીવનદાસ હરિયાણી રામાયણના પ્રખર જાણકાર હતાં.

મોરારીબાપુ તલગાજરડાથી મહુવા કાયમ પાંચ માઇલ ચાલીને શાળાએ જતાં.આ પાંચ માઇલ ચાલતા તેઓ ત્રિભુવનદાસ દાદાએ આપેલી પાંચ ચોપાઇ પાકી કરી લેતાં.

આ ક્રમ રોજનો થઇ પડ્યો.અને આમને આમ બાપુને આખું રામાયણ મોઢે થઇ પડ્યું! બાળપણથી જ બાપુને ભણવામાં મન ઓછું ચોટતું.કથા પ્રત્યે તેમનું આકર્ષણ વધારે હતું.

મહુવાની જે શાળામાં મોરારીબાપુએ અભ્યાસ કરેલો ત્યાં જ તેઓ શિક્ષક પણ બન્યાં.પણ વખત જતાં રામકથા તરફનું એમનું વલણ વધી ગયું અને સમય ન રહેતાં શિક્ષકની નોકરી છોડી દીધી.

માત્ર ૧૪ વર્ષની ઉંમરે ૧૯૬૦માં તેમણે ચૈત્ર માસમાં એક મહિનો સુધી રામાયણનો પાઠ કરાવેલો.

પોતાના વતન તલગાજરડામાં કરાવેલી આ તેમના જીવનની પ્રથમ કથા હતી.

મહુવામાંથી આગળ વધીને બાપુએ નાગબાઇ માતાના પવિત્ર સ્થાનક એવા ગોઠિયામાં તેમની પ્રથમ નવ દિવસીય રામકથાની શરૂઆત કરી.

ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતાં રમફલદાસજી તેમની સાથે હતાં.

એ વખતે બાપુ સવારના સમયે કથા કરતાં અને બપોરથી ભોજન પ્રબંધમાં લાગી જતાં.

એ પછી બાપુની કથાઓ અવિરત ચાલવા માંડી. એમાં નવા સત્વો ઉમેરાતા ગયાં.

લોકો આકર્ષાયા, સાહિત્યની છોળો ઉડી અને આજે રામકથા અનેક લોકોના માનસ પર ઘેરો પ્રભાવ નાખે છે.

પહેલાં પરીવારના ભરણપોષણ માટે બાપુ દિક્ષા લેતાં પણ એનું પ્રમાણ વધવા માંડતાં હવે કોઇ પણ પ્રકારની દિક્ષા તેઓ લેતાં નથી.

ત્યારે આજે અહીં અમે મોરારીબાપુની કેટલીક જૂની તસવીરો શેર કરી રહ્યાં છીએ.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly