હિંડનબર્ગનો અહેવાલ સામે આવ્યો ત્યારથી અદાણી જૂથમાં ખળભળાટ મચી ગયો છે. હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યુ પણ આ પછી લગભગ અડધી થઈ ગઈ છે. સાથે જ રોકાણકારોને પણ ભારે નુકસાન થયું છે. આ સિવાય અદાણી ગ્રૂપે તેની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પણ રદ કર્યો હતો. દરમિયાન, સેબીએ અદાણી જૂથ અંગે મૌન તોડ્યું છે અને ઘણી બાબતો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.
સેબી (SEBI)
અદાણી ગ્રૂપની બાબત પર બોલતા, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ કહ્યું છે કે તે બજારમાં નિષ્પક્ષતા, કાર્યક્ષમતા અને મજબૂત ફંડામેન્ટલ્સ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ કે શેરબજાર સરળ, પારદર્શક, કાર્યક્ષમ રીતે કાર્ય કરે, જેમ કે તે અત્યાર સુધી કરતું આવ્યું છે.
શેર બજાર
છેલ્લા એક સપ્તાહથી અદાણીના શેરમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આ અંગે સેબીએ જણાવ્યું હતું કે છેલ્લા સપ્તાહ દરમિયાન એક બિઝનેસ ગ્રૂપના શેરના ભાવમાં અસામાન્ય વધઘટ જોવા મળી હતી. બજારની સરળ અને કાર્યક્ષમ કામગીરી માટે ખાસ શેરોમાં ભારે અસ્થિરતાનો સામનો કરવા માટે તમામ મોનિટરિંગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અદાણી ગ્રુપ
Driving License માટે હવે ટેસ્ટ નહીં આપવી પડે? નવો નિયમ જાણીને તમે આજે જ અરજી કરી દેશો
અદાણીના શેરમાં થયેલા ઘટાડા અંગે સેબીએ જણાવ્યું હતું કે તમામ ચોક્કસ કેસો તેના ધ્યાન પર આવ્યા બાદ સેબી તેની તપાસ કરે છે અને યોગ્ય પગલાં લે છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.