લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન થયું છે. મુંબઈમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન શુક્રવારે 46 વર્ષીય સિદ્ધાંત વીર સૂર્યવંશીને હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. સિદ્ધાંત સૂર્યવંશી કુસુમ, કસૌટી જિંદગી કે, કૃષ્ણા-અર્જુન, જમીન સે આસમાન તક, ક્યા દિલ મેં હૈ, ગૃહસ્થી જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચુક્યા છે. તે છેલ્લે ઝિદ્દી દિલ માને ના શોમાં જોવા મળ્યો હતો.
સિદ્ધાંત ફિટનેસ ફ્રીક હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ વીડિયો શેર કરીને ચાહકોને પ્રોત્સાહિત કરતો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશીનો જન્મ 15 ડિસેમ્બર 1975ના રોજ મુંબઈમાં થયો હતો. તેણીએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. સિદ્ધાંતે ટીવી સિરિયલ ‘કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે ‘કસૌટી ઝિંદગી કી’, ‘ક્રિષ્ના અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું. સિદ્ધાંતને આનંદ સૂર્યવંશી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધાંતનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે.
તેણે બે લગ્ન કર્યા હતા. તેણે વર્ષ 2000માં પ્રથમ લગ્ન ઈરા સૂર્યવંશી સાથે કર્યા હતા. સિદ્ધાંતને તેના પહેલા લગ્નથી એક પુત્રી છે. તેણે વર્ષ 2015માં ઈરાથી છૂટાછેડા લીધા હતા. આ પછી, 2017 માં તેણે મોડેલ અને ફેશન કોરિયોગ્રાફર એલિસિયા રાઉત સાથે બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન પછી તેમને એક પુત્ર થયો. આ સાથે જ વાત કરીએ તો લોકપ્રિય ટીવી શો ‘ભાબી જી ઘર પર હૈં’ના મલખાન સિંહ એટલે કે દીપેશ ભાન મુંબઈમાં ક્રિકેટ રમતા પડી ગયા હતા. ત્યારે તેના નાકમાંથી લોહી નીકળતું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેણે મૃત્યુની આગલી રાત સુધી તેના શો માટે શૂટિંગ કર્યું હતું. દિપેશ ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ હતો.