સુરતનાં કામરેજનાં વેલેંજા ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પી મોતને વ્હાલુ કર્યું હતું. તેમજ મૃતક પરણિતાને સંતાનમાં એક બાળક હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ બાબતે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલમાં પરણીતાનું મોત નિપજ્યું
સુરત જીલ્લાના કામરેજના વેલેંજા ખાતે રહેતા અને હિરાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની પત્નિએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી ગયું હતું. તેમજ આપઘાત કરતા પહેલા મહિલા ક્રિષ્નાબેને તેમનાં પતિને ફોન કરીને કહ્યું હતું કે છેલ્લીવાર મળવું હોય તો આવ તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો
ગુજરાતની ધરતી પર બાબાનો અલગ અંદાજ, કારનો કાફલો રસ્તા વચ્ચે ઊભો રાખી જાહેરમાં પાણીપુરીનો આનંદ લૂંટયો
પત્નિના આવા શબ્દો સાંભળી પતિ તાત્કાલીક ઘરે પહોંચે તે પહેલા ક્રિષ્નાબેને અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.