આજે ફરી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હજુ પણ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ રહેશે. આ સાથે આજે પણ રાજ્યમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ગરમી આ વર્ષે આકરી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં લોકોમાં ગરમી અંગે જાગૃતિ વધે અને ગરમીથી બચવા માટે શું કરવું તે માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદના હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના છે.
આજની વાત કરતાં તેઓએ વાત કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ સામાન્યથી હળવો વરસાદ રહેશે. ભારે પવન અને વીજળી સાથે વરસાદ ખાબકશે. આજે પણ કરા પડવાની સંભાવના છે. શુક્રવારે રાજ્યમાં બોટાદમાં બરફ પડ્યા જેવી ઘટના સર્જાઈ હતી ત્યારે આજે પણ કરા પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં દુખની લાગણી છે.
વિગતે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલીમાં ક્યાંક કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં તો આજે કરા પડ્યા પણ હતા. જો કે સારા સમાચાર એ છે કે શનિવારથી કમોસમી વરસાદનું જોર ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
H3N2 વાયરસનો આવા બાળકો પર સૌથી ઘાતક ખતરો, જાણો કઈ રીતે ઓળખી શકાય, બચવાના ઉપાય પણ આ રહ્યાં
ભલે મોઢા પર સ્માઈલ રાખે પણ અદાણીને હિડનબર્ગના કારણે થયું છે જોરદાર નુકસાન, કેટલીય કંપનીઓ વેચવા કાઢી
જોકે, કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે આવતી કાલથી કરા પડવાની સંભાવના નથી. જોકે, આજે એકાદ જગ્યા પર કરા પડવાની સંભાવના છે. માછીમારો માટે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.