ગુજરાતીઓ હવે 2 દિવસ આકરી ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગે નવી આગાહી કરી દીધી છે. હવામાન વિભાગની ગરમી અંગે આગાહી સામે આવતા જ લોકોમાં ફફડાટ મચી ગયો છે અને ગરમીથી રાહત મેળવવા માટે ઉપાયો શોધવા લાગ્યા છે. 24 કલાક બાદ પારો 2થી 4 ડિગ્રી ઊચકાઈ શકે છે. તો વળી 24 કલાક સુધી સામાન્ય વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે આજ માટે આગાહી કરી છે કે વલસાડ,નવસારીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે અને અન્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં થાય. જો કે બે દિવસ બાદ આકરો તાપ પડશે અને ચામડી દઝાડતી ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પણ પડશે.
આ સાથે જ હવામાન વિભાગની કાલની 31 માર્ચની વાત કરીએ તો સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. હવે બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. તથા સૌરાષ્ટ્ર, મ.ગુજરાત, ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ રહેવાની પણ વકી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. તો વળી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
એ જ રીતે અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરતા જણાવ્યુ કે, 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.