વિદ્યાર્થી ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થશે. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારને તકલીફ મારાથી છે. મને ઓફર આપવા પણ આવ્યા હતા. આ સાથે જ ધડાકો કર્યો કે મે મારા 5 વારસદારો નીમ્યા છે. મને આશંકા છે કે મને પતાવી દેવા માગે છે. મને હિટ એન્ડ રન અથવા અન્ય કોઈ રીતે પતાવી દેવાશે એવુ મને લાગે છે. આ સાથે તેમણે કહ્યું કે, અમે આર.એમ પટેલનું સ્ટિંગ કર્યુ હતુ. જોકે હજી સુધી આર.એમ પટેલની પોલીસે પૂછપરછ પણ નથી કરી. રાજકીય વ્યક્તિઓ ષડયંત્ર ચલાવી રહ્યા છે. મારા પ્રત્યે દ્રેશ રાખીને કાર્યવાહી કરાઇ રહી છે. રાજકીય કિન્નાખોરીના કારણે આ કાર્યવાહી થઇ રહી છે.
પોતાની વાત કરતાં યુવરાજસિંહે કહ્યું કે, સત્ય દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મે નામ આપ્યા છે એની તપાસ નથી થઈ રહી. મેં 4 નામ આપ્યા હતા જેમાંથી એક નામ સામે તપાસ નથી થઈ. મારી પાસે 30 કૌભાંડીના નામ છે. ઉર્જા વિભાગની ભરતીમાં નામ આપ્યા હતા છતા તેની પૂછપરછ ન થઈ. ઉર્જા વિભાગ ભરતીમાં અવધેશ અને એવિનાસના નામ આપ્યા હતા. નામ આપ્યા છતા તેમને સમન્સ ન પાઠવાયુ. આ સાથે તેમણે કહ્યું કે, મારા એકલાનું જ નિવેદન કેમ ? રાજકીય વ્યક્તિઓ ષડયંત્ર ચલાવી રહ્યા છે. મારા પ્રત્યે દ્રેશ રાખીને કાર્યવાહી કરાઇ રહી છે. રાજકીય કિન્નાખોરીના કારણે આ કાર્યવાહી થઇ રહી છે.
રાજકીય લોકો પર પણ યુવરાજે આકરા આરોપો નાખ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય નેતા જસુ ભીલને શા માટે સમન્સ ન પાઠવાયુ ? પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. આગામી સમયમાં મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર ભરતીમાં જે કૌભાંડ થયુ તેના ૩૦ નામો આપીશ. પૂછપરછ થશે તો હું પૂર્વ મંત્રી અન વર્તમાન મંત્રીઓના પણ નામ આપીશ.
યુવરાજે વાત કરી કે જ્યા સુધી કટકીનો ભાગ પહોંચતો હતો તે તમામના નામો આપીશ. પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ જવુ જોઇએ. મે વર્તમાન ગૃહરાજ્ય મંત્રીને પણ પુરાવા આપ્યા છે છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. આ રીતે યુવરાજ ભાવનગરમાં MPHW ભરતીને લઈ ૩૦ નામો સાથે એસપી કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે આગળ જોઈએ કે આ કેસમાં શું નિર્ણય આવે છે અને કોણ આરોપી સાબિત થાય છે.