આજે સવારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર તાજિકિસ્તાનમાં હતું. અહીં 18 મિનિટની અંદર બે વાર પૃથ્વી ધ્રૂજી. પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 માપવામાં આવી હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચથી ઉપર માપવામાં આવી હતી. ભૂકંપ સવારે 6.07 અને 6.25 કલાકે આવ્યો હતો. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું.
તુર્કીના દક્ષિણી હટેય પ્રાંતમાં સોમવારે 2 વખત આવ્યો ભૂકંપ
આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. આ પહેલા 21 ફેબ્રુઆરીએ ફરી એકવાર તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીના દક્ષિણી હટેય પ્રાંતમાં સોમવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર અંતાક્યા શહેર હતું.
Earthquake of Magnitude:6.7, Occurred on 23-02-2023, 06:07:44 IST, Lat: 38.01 & Long: 73.33, Depth: 113 Km ,Location: 265km ENE of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/kuSdlp2RlF @ndmaindia @Indiametdept @DDNewslive @Dr_Mishra1966 pic.twitter.com/fJ1IW8qG5T
— National Center for Seismology (@NCS_Earthquake) February 23, 2023
ભૂકંપના જોરદાર આંચકાથી ચીન હચમચી ગયું
ભૂકંપના જોરદાર આંચકાથી ચીન હચમચી ગયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે. તાજેતરના તુર્કીમાં આવેલા ભૂકંપ કરતાં ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા વધુ છે. તુર્કીમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી. તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપના કારણે 40 હજારથી વધુ લોકોના મોત થયા છે. સરકારી ટેલિવિઝન અનુસાર ચીનમાં ભૂકંપની તીવ્રતા 7.3 નોંધવામાં આવી હતી. તજાકિસ્તાનની સરહદ પાસે ચીનના શિનજિયાંગમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપની અસર તાજીકિસ્તાન સુધી જોવા મળી રહી છે.
ભૂકંપમાં મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો
તુર્કીના ગૃહ મંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે તાજેતરના ભૂકંપમાં છ લોકોના મોત થયા છે અને 294 લોકો ઘાયલ થયા છે. 6 ફેબ્રુઆરીએ તુર્કી અને પડોશી સીરિયામાં શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. એકાદ-બે દિવસ બાદ પણ અનેક વખત હળવા આંચકા અનુભવાયા હતા. શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે.
તુર્કી-સીરિયાની મદદ માટે ભારતે ‘ઓપરેશન દોસ્ત’ ચલાવ્યું .
ભારતે તુર્કી-સીરિયાની મદદ માટે બચાવ ટીમ મોકલી હતી. બચાવ કામગીરી પૂર્ણ કરીને ટીમ પરત ફરી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે મુલાકાત કરી અને વાત કરી. ભારતે તુર્કી અને સીરિયાની મદદ માટે ‘ઓપરેશન દોસ્ત’ ચલાવ્યું હતું.
દિલને ઠંડક મળે એવા સમાચાર: આજે સોનું 2700 રૂપિયા સસ્તું થયું, ભાવમાં ધરખમ ઘટાડો જોઈને ગ્રાહકો ખુશ!
જાણો શા માટે આવે છે ભૂકંપ?
પૃથ્વી મુખ્યત્વે ચાર સ્તરોની બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને પોપડો. પોપડો અને ઉપલા આવરણ કોરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. આ 50 કિલોમીટર જાડા સ્તરને ટેકટોનિક પ્લેટ્સ તરીકે ઓળખાતા કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે. આ ટેકટોનિક પ્લેટો પોતાની જગ્યાએ વાઇબ્રેટ કરતી રહે છે અને જ્યારે આ પ્લેટમાં ખૂબ કંપન થાય છે ત્યારે ધરતીકંપ અનુભવાય છે.