GST Return: કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે GST રિટર્ન ફાઇલ કરનારા નાના વેપારીઓ માટે મોટી જાહેરાત કરી છે અને તેમને GSTR-9 ફાઇલ કરવામાંથી મુક્તિ આપી છે. આ ફોર્મ 2 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓએ ભરવાનું હોય છે. જેમાં તેમણે વાર્ષિક રિટર્ન ભરવાનું હતું. હવે નાના વેપારીઓ આ ફોર્મ ભરવાથી મુક્ત થયા છે.
ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી
નાણા મંત્રાલયે પોતાના X હેન્ડલ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 5 વર્ષમાં GST રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે. એપ્રિલ 2023 સુધીમાં GST રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. GST હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા હવે 1.40 કરોડ પર પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2018માં માત્ર 1.06 કરોડ હતી.
Small Taxpayers having turnover upto Rs. 2 crore are not required to file Annual Return in Form GSTR-9. #GSTforGrowth #EaseofDoingBusiness #ViksitBharat #FinMinReview2023 pic.twitter.com/LUolUB7Mk9
— PIB India (@PIB_India) December 17, 2023
90 ટકા લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે
નાણા મંત્રાલયે કહ્યું કે GST નિયમો અને પ્રક્રિયાઓ ઘડવાને કારણે લોકોમાં રિટર્ન ભરવાનો ઉત્સાહ વધ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યાં છે. વર્ષ 2017-18માં GST લાગુ થયા પહેલા આ આંકડો માત્ર 68 ટકા હતો. તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ લોકસભામાં GST ડેટા જાહેર કરતી વખતે ખુશી વ્યક્ત કરી હતી.
જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર
GST 1 જુલાઈ, 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ થાય છે. GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ જીએસટી કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.