2000 રૂપિયાની 97.5 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, RBIએ જણાવ્યું કેટલા કરોડ હજુ પણ લોકો પાસે છે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter

2000 Note: આરબીઆઈએ ગુરુવારે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની નોટોમાંથી લગભગ 97.5 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે અને હવે માત્ર 8,897 કરોડ રૂપિયાની નોટો જ લોકો પાસે છે. 19 મે, 2023 ના રોજ, આરબીઆઈએ 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે આ નોટોની કુલ કિંમત 3.56 લાખ કરોડ રૂપિયા હતી.

બે હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશેઃ RBI

સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે રૂ. 2,000ની નોટો અત્યારે કાનૂની ટેન્ડર રહેશે અને લોકો દેશભરમાં આરબીઆઈની 19 ઓફિસોમાં જઈને નોટો જમા અને બદલી શકશે. લોકો 2,000 રૂપિયાની નોટ પોસ્ટ ઓફિસ દ્વારા આરબીઆઈ ઓફિસને મોકલી શકે છે અને તેને તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે.

બજેટ 2024: મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, જાણો સૌથી અગત્યના આ 8 પોઈન્ટ

‘ખેડૂતો અમારા અન્નદાતા છે’ એમ કહીને નાણામંત્રીએ કૃષિ ખજાનાની પેટી ખોલી, મત્સ્યોદ્યોગ અને ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની કરી વાત

બજેટ 2024 હાઇલાઇટ્સ: 1.4 કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયાનો લાભ મળ્યો, 10 વર્ષમાં 390 યુનિવર્સિટીઓ ખોલવામાં આવી

નોટો બદલવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો

શરૂઆતમાં સામાન્ય લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધી આવી નોટો બદલવા અથવા તેમના બેંક ખાતામાં જમા કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. બાદમાં આ સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર, 2023 કરવામાં આવી હતી. 8 ઓક્ટોબર, 2023થી, લોકોને RBIની 19 ઓફિસોમાં નોટો બદલવા અથવા જમા કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

[ruby_related total=5 layout=5]

TAGGED: