“બારામતીના ‘દાદા’ પંચતત્વમાં વિલીન: પુત્રોએ આપી મુખાગ્નિ, મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ.”

Lok Patrika
By Lok Patrika

Ajit Pawar Last Rites: મહારાષ્ટ્રના રાજકારણમાં ઊંડો શોક છવાઈ ગયો છે. બારામતી વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા મહારાષ્ટ્રના ડિપ્ટી મુખ્યમંત્રી અજિત પવાર આજે પંચતત્વમાં વિલીન થયા હતા. રાજકીય સન્માન સાથે થયેલા અંતિમ સંસ્કારમાં ભાવુક ક્ષણો ત્યારે સર્જાઈ, જ્યારે તેમના દીકરા પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી. આ સમયે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર અને બહેન સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. નમ આંખે પરિવારજનોએ ‘દાદા’ને અંતિમ વિદાય આપી.

 

મહારાષ્ટ્રના રાજકારણના એક કદાવર નેતા અને લોકપ્રિય ‘દાદા’, અજિત પવાર આજે પંચતત્વમાં વિલીન થયા હતા. બારામતીમાં સર્જાયેલા કમનસીબ વિમાન અકસ્માતે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. આજે જ્યારે તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવી, ત્યારે માત્ર બારામતી જ નહીં પરંતુ આખું મહારાષ્ટ્ર હીબકે ચઢ્યું હતું. રાજકીય સન્માન સાથે થયેલી આ વિદાયમાં જનમેદનીનો સેલાબ ઉમટી પડ્યો હતો, જે તેમના પ્રત્યેના લોકપ્રેમની સાક્ષી પૂરે છે.


શોકમગ્ન માહોલ અને અંતિમ સંસ્કાર
બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પૂર્વે તેમને ‘ગન સેલ્યુટ’ આપી રાજકીય સન્માન અપાયું હતું. તેમના પુત્રો પાર્થ પવાર અને જય પવાર દ્વારા પિતાની ચિતાને મુખાગ્નિ આપવામાં આવ્યો ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. તિરંગામાં લપેટાયેલા તેમના દેહને જોવા માટે કાટેવાડીથી વિદ્યા પ્રતિષ્ઠાન સુધી માનવમહેરામણ ઉમટ્યું હતું, જેમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિ
અજિત પવારના અંતિમ દર્શન કરવા માટે દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. તેમની રાજકીય સફર કેટલી પ્રભાવશાળી હતી તેની પ્રતીતિ ઉપસ્થિત રહેલા VVIPs પરથી થતી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ,કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, શિવસેના નેતા એકનાથ શિંદે, MNS પ્રમુખ રાજ ઠાકરે, બીજેપી અધ્યક્ષ નિતિન નવીન, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, અભિનેતા રિતેશ દેશમુખ સહિતના દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો સ્મશાન ઘાટમાં દાદાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.


પરિવાર અને સમર્થકોની આંખો નમ:
આ દુઃખદ ઘડીએ પવાર પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. સુપ્રિયા સુલે અને અજિત પવારના પત્ની સુનેત્રા પવાર એકબીજાને સહારો આપતા જોવા મળ્યા હતા. 28 જાન્યુઆરીના રોજ થયેલા એ વિમાન અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.

બારામતીએ આજે પોતાના લોકપ્રિય નેતાને હંમેશ માટે ગુમાવ્યા છે, પરંતુ તેમની યાદો લોકોના હૃદયમાં કાયમ જીવંત રહેશે. વધુમાં મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly