દિલ્હીમાં ફરી એકવાર પૂર સંકટ સર્જાયું છે. દિલ્હીમાં યમુના નદી ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. બુધવારે સાંજે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 205.47 નોંધાયું છે. યમુનામાં ખતરાના નિશાન 205.33 મીટર છે. રવિવારથી તે ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું હતું, જેના કારણે દિલ્હીમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. મંગળવારે સાંજે સાત વાગ્યે પાણીનું સ્તર 205.33 ના ખતરનાક ચિહ્ન પર આવતાં દિલ્હીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ 24 કલાકમાં સ્થિતિ પાછલી સ્થિતિમાં આવી ગઈ હતી.
Delhi | Water-level in Yamuna river rises above the danger mark of 205.33 meters, recorded at 205.47 meters at 6pm today.
— ANI (@ANI) July 26, 2023
જેના કારણે યમુનાનું જળસ્તર વધ્યું
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને હથનીકુંડ બેરેજમાંથી વધુ પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી વધી રહ્યું છે. બેરેજમાંથી પાણી છોડવામાં ઘટાડો થયા બાદ દિલ્હીમાં યમુના નદીના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે સવારે પડેલા મુશળધાર વરસાદને કારણે તેના જળસ્તરમાં ફરી વધારો થયો છે.
5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’
40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી
વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ
દિલ્હીની સાથે જો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણામાં વધુ વરસાદ થશે તો તેની અસર યમુનાના જળસ્તર પર પડશે. છેલ્લા બે દિવસથી હથનીકુંડ બેરેજમાંથી પ્રતિ કલાક 50 હજાર ક્યુસેકથી ઓછું પાણી છોડવામાં આવી રહ્યું હતું. બુધવારે સવારે 4 વાગ્યા સુધી પ્રતિ કલાક આશરે 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, પરંતુ સવારે 5 વાગ્યે તેમાં વધારો કરીને 58 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે મહત્તમ 65392 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.