India news: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી એકવાર કિલકારી ગુંજી ઉઠી છે. તેની માતા ચરણ કૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરતા લખ્યું, ‘શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.
તમને જણાવી દઈએ કે લોકપ્રિય પંજાબી ગાયબ સિદ્ધુ મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મૂસેવાલા તેના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા.
આવી સ્થિતિમાં પરિવારના વારસદારની ખાતર તેના માતા-પિતાએ આઈવીએફ ટેકનીક દ્વારા ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. સિદ્ધુના ભાઈના જન્મના સમાચાર બહાર આવતા જ સિદ્ધુ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સિદ્ધુના પિતાની આ પોસ્ટને લાખો કરોડો લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે.
29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધુની હત્યામાં મહિન્દ્રા બોલેરો અને ટોયોટા કોરોલા નામના બે મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી.