Ram Mandir: વિરાટ કોહલી અને અનુષ્કા પણ 22 જાન્યુઆરીએ જશે અયોધ્યા, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે મળ્યું આમંત્રણ

Desk
By Desk

Cricket News: દરેક ભારતીય રામ મંદિરના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. હવે આ યાદીમાં દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી પણ સામેલ થઈ ગયો છે. વિરાટ કોહલી 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી શકે છે.

સંઘના કોંકણ પ્રાંત પ્રચારક સુમંત અમશેકરે વિરાટ કોહલી અને અનુષ્કાને અભિષેક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ રામ મંદિરમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2024ના રોજ આયોજિત થવાનો છે.

ધોનીને પણ આમંત્રણ મળ્યું

Breaking News: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિષય નિષ્ણાંતની ભરતી જાહેર, કરાર આધારિત ઉમેદવારોની કરાશે પસંદગી

“લોહા ગરમ હૈ…” સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, કમુરતા બાદ દાગીનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય, જાણો આજના ભાવ

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ફરી એકવાર ત્રાટકશે વાવાઝોડું, આ મહિનાના અંત સુધી ટકરાવવાની શક્યતા, જાણો વિગત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિર ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા આવવાનું આમંત્રણ મળ્યું છે. ધોની હવે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી શકશે. ભારતીય જનતા પાર્ટી ઝારખંડના ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી આપવામાં આવી છે.

[ruby_related total=5 layout=5]