Former BCCI President: ભારતીય ક્રિકેટ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ ઈન્દ્રજિત સિંહ બિંદ્રાનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ક્રિકેટ પ્રશાસન જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ICC ચેરમેન જય શાહે આપી પુષ્ટિ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું કે ભારતીય ક્રિકેટ પ્રશાસનના દિગ્ગજ તરીકે બિંદ્રાનું યોગદાન હંમેશા યાદ રહેશે.
ઇમોશનલ પોસ્ટથી વ્યક્ત કરી સંવેદના
જય શાહે લખ્યું છે કે, “ભારતીય ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનના દિગ્ગજ અને પૂર્વ BCCI અધ્યક્ષ IS બિંદ્રાના અવસાન પર ઊંડી સંવેદના. તેમની વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ઓમ શાંતિ.”
Deepest condolences on the passing of Mr. I S Bindra, former BCCI president and a stalwart of Indian cricket administration. May his legacy inspire future generations. Om Shanti 🙏
— Jay Shah (@JayShah) January 25, 2026
તબિયત બગડતાં થયું અવસાન
મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે ભોજન કર્યા બાદ બિંદ્રાની તબિયત અચાનક બગડવા લાગી હતી. સાંજે આશરે 6:30 વાગ્યે તેમનું નિધન થયું હતું. સોમવારે બપોરે લોધી શમશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ક્રિકેટ પ્રશાસનમાં લાંબી સેવા
IS બિંદ્રા વર્ષ 1993 થી 1996 દરમિયાન BCCIના અધ્યક્ષ રહ્યા હતા. તે પહેલાં તેઓ 1978 થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદે રહ્યા.
મોહાલી સ્ટેડિયમમાં નામ અમર
ક્રિકેટ પ્રશાસન માટેના તેમના યોગદાન બદલ 2015માં મોહાલી સ્થિત PCA સ્ટેડિયમનું નામ IS બિંદ્રા સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું.
1987 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા
માનવામાં આવે છે કે IS બિંદ્રા અને પૂર્વ BCCI અધ્યક્ષ જગમોહન દાલમિયાએ 1987 વર્લ્ડ કપની યજમાની ભારતને અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ક્રિકેટ જગત એક દિગ્ગજને વિદાય આપી રહ્યું છે.