Bollywood News: બોલિવૂડ અભિનેત્રી નૂર મલબીકા દાસનું અવસાન થયું. તેણી 37 વર્ષની હતી. તેણે કાજોલ સાથે વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં કામ કર્યું હતું. તેણે કથિત રીતે આપઘાત કર્યો છે. પોલીસે 6 જૂને લોખંડવાલામાં તેના એપાર્ટમેન્ટમાંથી લાશ મળી આવી હતી. અહેવાલ મુજબ, અભિનેત્રીના પડોશીઓએ દુર્ગંધ જોતાં ઓશિવારા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસને લાશ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. મુંબઈમાં દાવા વગરના મૃતદેહોના અગ્નિસંસ્કારનું સંચાલન કરતી મામદાની હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ NGOની મદદથી રવિવારે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

એક અધિકારીએ કહ્યું, “અમે તેના પરિવાર સાથે વાત કરી હતી. તે બે અઠવાડિયા પહેલા પોતાના વતન પરત ફરી હતી. “આ બાબત અને આત્મહત્યા પાછળનું કારણ તપાસ હેઠળ છે.” માલબીકાના સારા મિત્ર આલોકનાથ પાઠકે કહ્યું, “હું આનાથી દુઃખી છું. હું નૂરને વર્ષોથી ઓળખું છું અને તેની સાથે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે.
નૂર મલબીકા ભાડાના ફ્લેટમાં રહેતી હતી
આલોકનાથ પાઠકે વધુમાં કહ્યું, “ગયા મહિના સુધી તેનો પરિવાર તેની સાથે મુંબઈમાં રહેતો હતો. પરિવાર એક અઠવાડિયા પહેલા જ ગામમાં પાછો ફર્યો હતો. તે આ ફ્લેટમાં ભાડા પર રહેતી હતી.”

નૂર મલબીકા દાસની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
નૂર મલબીકાએ 5 દિવસ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી હતી. જોકે, વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘આંસૂ મેરે બેહતે’ ગીત વગાડવામાં આવ્યું હતું. આ દર્દભર્યું ગીત રાહત ફતેહ અલી ખાન અને ગુરનઝારે ગાયું છે. ચાહકો હવે તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
નૂર માલબીકાની સીરિઝ
નૂર મલબિકા ‘ATM ભાભી’, ‘I’m Sorry Teacher’ અને ‘Adla Badli’ જેવી સિરીઝ માટે જાણીતી છે. તેણે ઉલ્લુ ટીવી એપ માટે મોટા ભાગનું કામ કર્યું છે. તેની લેટેસ્ટ એડલ્ટ સિરીઝ ‘ઘરવાલી બહારવાલી’ હતી. આ સીરીઝમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.