કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો સોંપાયો અન્ય મંત્રીને, આ નેતા સંભાળશે પંચાયત અને કૃષિ વિભાગનો હવાલો

Desk
By Desk

Gujarat News: કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો અન્ય મંત્રીઓને સોંપાયો છે. રાઘવજી પટેલની નાદુરસ્ત તબીયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાઘવજી પટેલનો ચાર્જ બચુભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો છે. રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય મંત્રી કુંવરજી હળપતિને અન્ય વિભાગનો હવાલો સોંપાયો છે. વિધાનસભામાં મંત્રીની ગેરહાજરીમાં વિભાગના જવાબો આપવા ચાર્જ સોંપાયો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.

પીએમ મોદીએ એકસાથે 1 લાખ યુવાનોને આપી નોકરી, વર્ચ્યુઅલ રીતે નિમણૂક પત્રોનું કર્યું વિતરણ, યુવાનોને કહી આ ખાસ વાત!

સોનામાં રોકાણની સુવર્ણ તક… સોવરિન ગોલ્ડ બોન્ડની નવી શ્રેણી આજથી ખુલી, જાણો પ્રાઇસ બોન્ડ અને કેવી રીતે નફો કરવો?

Big News: બનાસકાંઠાના રામભક્તનું અયોધ્યામાં દર્શન બાદ થયું મૃત્યુ, રામલલ્લાના દર્શન કર્યા બાદ અચાનક ઢળી પડ્યા

બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. હાલ તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગતો અપાઈ છે..પસાયા બેરાજામાં ગત રાત્રે કાર્યક્રમ દરમિયાન તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.

[ruby_related total=5 layout=5]

TAGGED: