હે મા, માતાજી… અચાનક લોકો ‘વરાળની જેમ ગાયબ થઈ રહ્યા છે’, જાસૂસો ગોઠવ્યા છતાં ગુમ થયેલા લોકોનો કોઈ અત્તો-પત્તો ન લાગ્યો!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જીવનથી હવે થકાય ગયુ છે અને હવે તેઓ કાં તો તેને નવેસરથી શરૂ કરવા માગે છે અથવા તો બધું છોડીને ક્યાંક દૂર જવા માગે છે. જો કે, આવી વસ્તુઓ ટૂંકા ગાળાની હોય છે અને બીજી જ ક્ષણે વ્યક્તિ તેના જીવનમાં મગ્ન થઈ જાય છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં લોકો ખરેખર જીવનથી ‘વરાળની જેમ ઉડી જાય છે’ અને તેઓ ફરી ક્યારેય નથી દેખાતા.  તમે ટેક્નોલોજી અને શિક્ષણના સંદર્ભમાં જાપાન વિશે ઘણું સાંભળ્યું હશે.

આ રીતે લોકો થઈ જાય છે અદૃશ્ય

અહીં બાળકોને નાનપણથી જ જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવવામાં આવે છે અને ભવિષ્ય માટે તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ જાપાનમાં લોકો અચાનક તેમના જીવનની દરેક વસ્તુ છોડીને ગાયબ થઈ જાય છે. પછી કોઈ ગમે તે કરે, તેને શોધી શકાતું નથી. જાપાનમાં આ રીતે અદૃશ્ય થઈ જતા લોકોને જોહાત્સુ કહેવામાં આવે છે. જાપાનીઝ ભાષામાં જોહાત્સુનો અર્થ થાય છે ‘બાષ્પીભવન’.

નાખુશ લોકો અપનાવે છે આ વિકલ્પ

ઘણી વખત લોકો રોજની જેમ કામ માટે ઘરેથી નીકળે છે અને પછી પાછા આવતા નથી. જે કંપનીઓ લોકોને વ્યવસાયિક રીતે અદૃશ્ય થઈ જાય છે તેને નાઈટ મૂવિંગ સર્વિસ કહેવામાં આવે છે. ગુમ થયેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા ગુપ્ત જગ્યાઓ પર કરવામાં આવે છે અને તેમને ત્યાં નવું જીવન શરૂ કરવાનો મોકો મળે છે. પર્સનલ કે પ્રોફેશનલ લાઈફથી નાખુશ લોકો પણ આ વિકલ્પ અપનાવે છે.

આ છે જોહાત્સુ બનવાની પ્રક્રિયા

અહેવાલ અનુસાર 1990ના દાયકામાં આવી સેવા શરૂ કરનાર શો હટ્ટોરીએ કહ્યું કે જે લોકો જોહાત્સુ બની જાય છે એટલે કે ગાયબ થઈ જાય છે. તેઓ હંમેશા નકારાત્મક વિચારતા નથી. પહેલા જ્યાં લોકો દેવું ટાળવા ગાયબ થઈ જતા હતા. હવે લોકો નવી નોકરી કે બીજા લગ્ન માટે પણ આવું જ કરે છે. સૌ પ્રથમ આ પ્રક્રિયા 1960ના દાયકાથી શરૂ થઈ હતી જે અત્યાર સુધી ચાલુ છે. પ્રાઈવસી અંગેના કડક કાયદાઓને કારણે લોકો પોલીસને બદલે જાસૂસોની મદદ લે છે છતાં આવા લોકોને મળવું લગભગ અશક્ય બની જાય છે.


Share this Article
TAGGED: ,