દેશના આ મંદિરમાં થાય છે માતાની યોનિની પૂજા, લોહીથી લથપથ આ ચીજનો અપાય છે પ્રસાદ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારતમાં શક્તિપીઠોમાંથી એક આસામમાં નીલાચલ ટેકરીની ટોચ પર આવેલું કામાખ્યા મંદિર ઘણા રસપ્રદ તથ્યો સાથે સંકળાયેલું છે. દેશના અન્ય મંદિરોથી વિપરીત કામાખ્યા મંદિરમાં કામાખ્યા દેવીની મૂર્તિ નથી. અહી યોનીની પૂજા કરવામાં આવે છે. આજે અહી આ મંદિર સાથે સંકળાયેલા આવા જ તથ્યોની વાત કરવામા આવી રહી છે.

આ મંદીર મુખ્ય 18 મહા શક્તિપીઠોમાંનુ એક છે

કામાખ્યા મંદિર એ તમામ 108 શક્તિપીઠોમાંનું એક પ્રાચીન મંદિર છે, જેની ઉત્પત્તિ 8મી સદીમાં થઈ હતી. 16મી સદીમાં કૂચબિહારના રાજા નર નારાયણ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે ઘણી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.

‘માસિક સ્રાવ’ દેવી –

કામાખ્યા મંદિરમાં દેવીની યોનિની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. તે ગુફાના એક ખૂણામાં મૂકવામાં આવે છે. આ સિવાય મંદિરમાં કોઈ દેવીની મૂર્તિ નથી. જો કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને મંદિરની અંદર જવાની પરવાનગી નથી.

મંદિર પાછળની વાર્તા

કામરૂપના પ્રદેશમાં કામાખ્યા મંદિર આવેલું છે જ્યાં માતાની યોનિ હતી. આ મંદિર અનેક રહસ્યોથી ઘેરાયેલું છે. કામાખ્યામાંથી પસાર થતી બ્રહ્મપુત્રા નદી જૂન (અષાઢ) મહિનામાં લાલ થઈ જાય છે. કહેવાય છે કે નદી લાલ થવાનું કારણ એ છે કે આ દરમિયાન માતાને માસિક ધર્મ આવે છે. એવું પણ કહેવાય છે કે મંદિરના ચાર ગર્ભગૃહ પૈકી ‘ગરવર્ગિહા’ સતીના ગર્ભનું ઘર છે.

શક્તિવાદ પાછળની વાર્તા

જ્યારે ભગવાન રાજા દક્ષ ભગવાન શિવના લગ્ન તેમની પુત્રી સાથે ગોઠવવા માટે રાજી ન હતા અને આ કારણોસર તેમણે તેમને યજ્ઞમાં આમંત્રણ પણ આપ્યું ન હતું. જ્યારે સતીને આ વાતની ખબર પડી ત્યારે તે શિવનું અપમાન સહન ન કરી શકી. ક્રોધમાં આવીને સતી આગમાં કૂદી પડી, જ્યારે શિવને આ વાતની જાણ થઈ તો તે દુઃખી થઈ ગયા અને સતીને ખોળામાં લઈને તાંડવ કરવા લાગ્યા. જ્યારે દેવતાઓ આ વાતથી ચિંતિત થયા તો તેમણે ભગવાન વિષ્ણુ પાસે આ અંગે મદદ માંગી. ત્યારબાદ તેમણે પોતાના સુદર્શન ચક્રથી સતીના મૃત શરીરના 108 ટુકડા કરી નાખ્યા અને તે શરીરના અંગો દેશના વિવિધ ભાગોમાં પડ્યા.

વાર્ષિક પ્રજનન ઉત્સવ

કામાખ્યા મંદિર વાર્ષિક પ્રજનન ઉત્સવનું આયોજન કરે છે જે અંબુબાસી પૂજા તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન દેવી માસિક સ્રાવ આવે છે. ત્રણ દિવસ બંધ રહ્યા બાદ મંદિર ચોથા દિવસે ઉત્સવ સાથે ફરી ખુલે છે. કહેવાય છે કે આ તહેવાર દરમિયાન બ્રહ્મપુત્રા નદી પણ લાલ થઈ જાય છે. આ સમય દરમિયાન શક્તિ મેળવવા માટે સાધુઓ વિવિધ ગુફાઓમાં બેસીને સાધના કરે છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ અહીં લોકો માતાના માસિક રક્તમાં લપેટાયેલ રૂને લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

મહાશિવરાત્રી પર ઉજ્જૈને તોડ્યો અયોધ્યાનો રેકોર્ડ, 18 લાખ 82 હજાર દીવાઓથી ઝળહળી ઉઠી શિવની નગરી, જુઓ અદ્ભુત નજારો

સાપ્તાહિક રાશિફળ: આ રાશિના લોકોને બખ્ખાં જ બખ્ખાં તો કોઈને ભારે પડશે, જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું

પૃથ્વી પર પહેલી દુલ્હન કોણ હતી, લગ્નની પરંપરા કેવી રીતે શરૂ થઈ? કોણે નિમયો બનાવ્યા, જાણો દરેક જવાબ

કાલિકા પુરાણ અનુસાર કામાખ્યા મંદિર ચાર પ્રાથમિક શક્તિપીઠોમાંથી એક છે. જગન્નાથ મંદિર, પુરી, ઓડિશા ખાતે વિમલા મંદિર; બ્રહ્મપુર, ઓડિશા નજીક તારા તારિણી; અને કોલકાતા, પશ્ચિમ બંગાળમાં દક્ષિણા કાલિકા અન્ય ત્રણ છે.


Share this Article