આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, જેના કારણે દિવસભર તરસ લાગે છે. આ પ્રવાહી આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનના જોખમને દૂર કરે છે. આ જ કારણ છે કે તમને નિયમિત સમયાંતરે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જો કે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણી અથવા અન્ય કોઈ પ્રવાહીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. તેથી જ સાવચેત રહેવું જરૂરી છે.
પીવાના પાણીની મર્યાદા શું છે?
હવે તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે પાણી ઓછું પીશો તો નુકસાન થશે અને વધુ પીશો તો પણ નુકસાન થશે, તો શું કરવું? આ અંગે અમે ભારતના પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવ સાથે વાત કરી. તેમણે કહ્યું કે મર્યાદાથી વધુ પાણી પીવું ખતરનાક બની શકે છે.
તરસ કેમ લાગે છે?
ડાયટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે આપણા મગજમાં એક થ્રસ્ટ સેન્ટર છે, જે શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો દર્શાવે છે. આવા સમયે પેપ્ટાઈડનો સ્ત્રાવ થાય છે જે થ્રસ્ટ સેન્ટરને સંકેત આપે છે કે હવે પાણી પીવાની જરૂર છે.
કેટલાક લોકોને વધુ પાણી પીવાની આદત હોય છે
તરસ લાગે ત્યારે પાણી પીવું એ સામાન્ય બાબત છે, પરંતુ જો તરસ્યા વગર પાણી પીવો તો આ આદતને સાયકોજેનિક પોલીડિપ્સિયા કહે છે. તેનાથી શરીરમાં પ્રવાહીનું સ્તર વધે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
વધુ પાણી પીવાથી શું પરિણામ આવશે?
જે લોકો ખૂબ પાણી પીવે છે, તેમના શરીરમાં સોડિયમનું સ્તર ઓછું થવા લાગે છે, આવી સ્થિતિમાં કોષોમાં પાણીની માત્રા વધી જાય છે, જેનાથી સોજો વધે છે. આને હાયપોનેટ્રેમિયા કહેવામાં આવે છે, તે ખાસ કરીને મગજને નુકસાન પહોંચાડે છે.
હાયપોનેટ્રેમિયાના લક્ષણો
• માથાનો દુખાવો
• થાક
• ઊર્જાનો અભાવ
• ઉબકા
• ઉલટી
• લો બ્લડ પ્રેશર
• સ્નાયુ ખેંચાણ
• બેચેની
• ગુસ્સો આવવો
ગંભીર સ્થિતિમાં, વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.
ખરેખર સપનું તો નથી ને! સોનાના ભાવના બટાકા ખરીદવાની હરીફાઈ, ખરીદનારા 50 હજાર ચૂકવવા માટે પણ છે તૈયાર!
દિવસમાં કેટલું પાણી પીવું
ડાયટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે, દિવસમાં લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું પૂરતું છે, જો તમે આનાથી વધુ સેવન કરશો તો તમે તમારા શરીરના દુશ્મન બની જશો, તેથી કાળજી લેવી જરૂરી છે.