કબરની અંદર બને છે ન માનવામાં આવે એવી ઘટનાઓ, આપમેળે મૃતકોની શબપેટીઓ નાચે અને ડોલે, તો ક્યારેક ગૂમ થઈને પાછી પણ આવી જાય

Lok Patrika
By Lok Patrika
Share this Article

એવી કેટલીક જગ્યાઓ છે જ્યાંની વાર્તાઓ સાંભળીને વ્યક્તિ ડરી જાય છે. આમાંના કેટલાકને અનુભવના આધારે ડરામણા કહેવામાં આવે છે, જ્યારે કેટલાક વિશે બહાર આવતી વાર્તાઓ લોકોને ડરથી ભરી દે છે. આવી જ કહાની બાર્બાડોસના ક્રાઈસ્ટ ચર્ચ પેરિશની છે, કહેવાય છે કે અહીં હાજર એક પરિવારની કબરની અંદર કંઈક અજીબ ઘટના બને છે. આ અંતિમ સંસ્કાર સ્થળ ૧૭૨૪ માં બનાવવામાં આવ્યું હતું, જે જેમ્સ ઇલિયટ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

તે ૧૨ ફૂટ ઊંડો અને ૬ ફૂટ પહોળો હતો. અહીં નીચે જવા માટે સીડીઓ લગાવવામાં આવી છે અને માર્બલનો સ્લેબ પણ છે. આ જગ્યા ચેઝ પરિવાર દ્વારા ૧૮૦૮માં ખરીદી લેવામાં આવી હતી પરંતુ તે ૧૮મી સદીના અંત સુધી ઇલિયટ અને તેની પત્નીના કબજામાં હોવાનું કહેવાય છે. બાદમાં આ જગ્યા વોલરોન્ડ પરિવાર દ્વારા ખરીદી લેવામાં આવી હતી. જ્યારે અહીં કોઈના મૃતદેહને દફનાવવામાં આવનાર હતો ત્યારે એક અજીબ વસ્તુ જાેવા મળી હતી.

જ્યારે થોમસિના ગોડાર્ડ નામની મહિલાની શબપેટીને દફનાવવામાં આવનાર હતી ત્યારે આ કબરને ખોલવામાં આવી ત્યારે એક વિચિત્ર ઘટના બની. ઇલિયટ અને તેની પત્નીની શબપેટી અહીંથી ગુમ થઈ ગઈ હતી, ત્યારથી આ કબરને ભૂતિયા માનવામાં આવે છે. બાદમાં, જ્યારે ચેઝ પરિવારે આ જગ્યા ખરીદી અને તેમની ૨ વર્ષની પુત્રીને તેના મૃત્યુ બાદ અહીં દફનાવવામાં આવી, ત્યારે ફરી એક વિચિત્ર ઘટના બની.

બાળકીના શબપેટીને રાખ્યા પછી, ૪ વર્ષ સુધી આ કબરને કોઈએ સ્પર્શ કર્યો ન હતો, પરંતુ જ્યારે ચેઝની બીજી પુત્રીને પણ તેના મૃત્યુ પછી દફનાવવામાં આવી હતી, ત્યારે નાની બાળકીના શબપેટીને તેની જગ્યાએથી ઉપરની તરફ અલગ રાખવામાં આવી હતી. પછી થોમસ ચેઝ પોતે મૃત્યુ પામ્યા અને જ્યારે ૧૮૧૬ માં તેની શબપેટી રાખવા માટે ફરીથી કબર ખોલવામાં આવી, ત્યારે ત્યાંના તમામ શબપેટીઓ અહીં અને ત્યાં ખસેલા હતાં. અહેવાલ મુજબ, આ ઘટનાના થોડા વર્ષો પછી પણ જ્યારે પણ કબરને ખોલવામાં આવી તો શબપેટી અલગ જગ્યાએથી મળી આવી.

બાર્બાડોસના ગવર્નરે આ બાબતની તપાસ કરાવી અને કબર તરફ જવાનો કોઈપણ ગુપ્ત રસ્તો શોધી કાઢ્યો. આ તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. ત્યારપછી ધરતીકંપ અને પૂર પણ આવ્યા, પરંતુ શબપેટી તેની જગ્યાએથી ખસતી ન હતી. કબરમાં રેતી પણ નાખવામાં આવી હતી, જેથી કોઈના પગના નિશાન પણ મળી શકે, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. જાે કે, જ્યારે પણ કબર ખોલવામાં આવી ત્યારે શબપેટીઓની સ્થિતિ બદલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly