મૌલિક દોશી (અમરેલી): ઈજાગ્રસ્તોને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા સાવરકુંડલાના મિતિયાળા પાસે મેજિક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો . જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે . તેમજ એસ.ટી બસનો કાચ પણ તૂટ્યા હતા . સાવરકુંડલા – કૃષ્ણગઢ રૂટની એસ.ટી.બસ સાવરકુંડલાના મીતીયાળા રોડ પરથી પસાર થઈ રહી હતી . આ દરમિયાન સામેથી ખાનગી મુસાફરો સાથે ભરેલું મેજિક આવી જતા બસ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બસના આગળના કાચ તૂટી ગયા હતા અને 4 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી .
મેજિક બાજુમાં ઉતરી જતા મુસાફરોમાં થોડીવાર માટે ભાગદોડ સાથે અફરા તફડી મચી હતી . આ ઘટના બાદ સ્થાનીકો મદદ માટે દોડી આવ્યા હતા . અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા . એસ.ટી.બસનો આગળના ભાગનો કાચ તુટી જતા બસમાં નુકસાન પહોંચ્યું છે .