Astrology News: ગ્રહોની ગતિમાં પરિવર્તન તમામ રાશિના લોકોને અસર કરે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ગતિ બદલે છે. આ કારણે શુક્ર પણ ટૂંક સમયમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 31 માર્ચે ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્યનો ગ્રહ શુક્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રના મીન રાશિમાં પ્રવેશને કારણે માલવ્ય રાજયોગ રચાશે. આ રાજયોગ 3 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ 3 રાશિઓ વિશે.
મિથુન
મીન રાશિમાં શુક્ર સંક્રમણના કારણે બનેલો માલવ્ય રોજયોગ મિથુન રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. આ રાશિના લોકો માટે 31 માર્ચથી સારો સમય શરૂ થઈ શકે છે.
કાર્યમાં આવતા અવરોધો દૂર થશે અને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારી માટે પણ સમય સારો માનવામાં આવે છે. નવી મહત્વની ડીલ ફાઈનલ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો સફળતા મેળવી શકે છે, સખત મહેનત કરવાનું મન થશે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભદાયક રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. તમે તમારા કામના વખાણ સાંભળી શકો છો. બોસ તમારાથી ખુશ રહેશે. વેપારમાં લાભ થશે. કરિયરમાં તમને સફળતા મળશે.
સમાજમાં માન-સન્માન વધશે. માલવ્ય રાજયોગના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો, તો તમને તેનાથી રાહત મળશે. તમારે બહારનું ખાવાનું ટાળવું પડશે, પેટ સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
ધનુ
ધનુ રાશિના લોકો માટે માલવ્ય રાજયોગ લાભદાયી રહેશે. આ સમયે તમે નવી મિલકત અથવા વાહનના માલિક બની શકો છો. સરકારી કામમાં લાભ થશે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન થશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. કોઈપણ નાની વાત પર મતભેદ થઈ શકે છે, જો આપણે એકબીજાને નમ્રતાથી સમજીએ તો સારું રહેશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે.