Astrology News: અયોધ્યામાં એક મંદિર છે, જ્યાં જૂઠ્ઠાણાનું રહસ્ય ખુલ્લુ પડી જાય છે. એવું કહેવાય છે કે જો તમે કોઈ કારણસર ખોટું બોલો છો, તો દૈવી શક્તિઓ તમને ખરાબ રીતે પરેશાન કરે છે.
વાસ્તવમાં, અયોધ્યામાં લક્ષ્મણકિલા નામનું મંદિર છે, જ્યાં જો તમે ખોટા શપથ લેશો તો જૂઠ લાંબો સમય ટકી શકતું નથી. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં એવી દૈવી શક્તિઓ છે, જે જૂઠ બોલનારને કોઈને કોઈ રૂપમાં પરેશાન કરતી રહે છે. આનાથી જૂઠું બોલનારનું રહસ્ય છતું થઇ જાય છે અને કોઈ ઈચ્છે તો પણ તે વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતું નથી. લક્ષ્મણ કિલ્લો એ જ જગ્યા છે જ્યાં લક્ષ્મણજીએ શ્રી રામ દ્વારા આપવામાં આવેલા વચનનું પાલન કરતા પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો.
લક્ષ્મણજીનું આ મંદિર તે સરયુ નદીના કિનારે આવેલું છે. આ મંદિરમાં લક્ષ્મણજીની સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતા પણ બિરાજમાન છે. કહેવાય છે કે ભગવાન રામના પ્રિય નાના ભાઈ લક્ષ્મણજીના આ મંદિરમાં ખોટા સોગંદ લેવાતા નથી. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડે છે. આ મંદિરમાં જ લક્ષ્મણજીએ પોતાના શરીરનો ત્યાગ કરીને શેષાનાગ અવતાર લીધો હતો.
એવું કહેવાય છે કે લોકો અહીં પોતાના વિવાદોનું સમાધાન કરવા આવે છે. આ મંદિરમાં સાચા શપથ લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ખોટા સોગંદ ખાય તો તેનું જૂઠ લાંબું ટકતું નથી અને સત્ય અનિચ્છાએ પણ બહાર આવે છે. આ ઉપરાંત તેને સજા પણ થાય છે. આ જ કારણ છે કે લક્ષ્મણ કિલ્લામાં કોઈ ખોટું નથી બોલતું.
જો કોઈ એવું વિચારે કે ભારત તેના વિના જીતી શકતું નથી તો… ગાવસ્કરે કોહલીને મરચા લાગે એવી વાત કરી
અયોધ્યા રોડ, રેલ અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલ છે. દિલ્હીથી અયોધ્યાનું અંતર 615 કિમી છે. જો તમે ઈચ્છો તો ટ્રેન દ્વારા પણ અયોધ્યા પહોંચી શકો છો. વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી અયોધ્યા જતી ટ્રેન છે. તે લગભગ 8 કલાક 20 મિનિટમાં અયોધ્યા પહોંચે છે. ચારેય દિશામાંથી અયોધ્યા માટે ફ્લાઇટનું શિડ્યુલ પણ નક્કી કરવામાં આવ્યું છે.