શુક્રવારે કરી લો 10 ઉપાય, તમારું સૂતેલું નસીબ સફાળું જાગી જશે, કિસ્મત એવો સાથ આપશે કે માલામાલ બની જશો!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

goddess Laxmi worship tips : શુક્રવાર દેવી લક્ષ્મીની (Goddess Lakshmi) પૂજા માટે જાણીતો છે. આ દિવસને દેવી લક્ષ્મી તેમજ શુક્રનો દિવસ પણ માનવામાં આવે છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે ધનની દેવીની કૃપા જીવનભર તેના પર રહે અને સુખ-સમૃદ્ધિ ક્યારેય તેનાથી દૂર ન થાય. પરંતુ જાણી-અજાણ્યે આપણે ઘણીવાર આવી ભૂલો કરતા હોઇએ છીએ અથવા તો તેને ગ્રહોનું ચક્ર કહીએ છીએ, જેના કારણે માતા લક્ષ્મી ઘર છોડીને જાય છે અને જીવન જડબેસલાક બની જાય છે. પરંતુ શુક્રવારે ઘણા ઉપાયો એવા છે જેનાથી ઊંઘતા નસીબમાં સુધારો આવી શકે છે, અને ગરીબ માણસ ફરી અમીર બની જાય છે. જાણો કયા છે સચોટ ઉપાય.

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. આ માટે સવારે વહેલા ઉઠીને ઘરની સાફસફાઈ કરવી જોઈએ. કારણ કે દેવી લક્ષ્મી ક્યારેય ગંદકીમાં રહેતી નથી. જો વિઘ્નોને કારણે ધંધો આગળ વધી શકતો નથી, તો શુક્રવારનો આ ઉપાય તમારા માટે છે. શુક્રવારે કોઈને કહ્યા વગર અષ્ટલક્ષ્મીની મૂર્તિને ગુલાબી કપડાની અંદર રાખો. આ સાથે, વ્યવસાય ફૂલવા લાગશે.

 

 

જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો તેમની પહેલા તમારે તેમના પતિ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, જે જગતના સ્વામી છે. આવું કરનાર પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. શુક્રવારે સફેદ કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. સાથે જ દેવી લક્ષ્મીને ખીર અને રાબડી જેવી સફેદ મીઠાઈનો ભોગ ધરવો જોઈએ. આ પ્રસાદને છોકરીઓમાં વહેંચી દેવો જોઈએ. શુક્ર દોષને કારણે તમારે સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આને દૂર કરવા માટે ગાયને લોટની રોટલી ખવડાવવી જોઈએ અને કીડીઓને સૂકો લોટ ખવડાવવો જોઈએ.

શુક્રવારે દેવી લક્ષ્મીને પોતાના પ્રિય કમળનું ફૂલ ચઢાવવું જોઈએ. આ ઉપાય કરનારા ભક્તોથી તે ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. શુક્રવારે કનકધારા સ્ત્રોત અથવા લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો એ પણ સંપત્તિ અને સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સંપૂર્ણ માર્ગ છે. જો તમને ધનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો શુક્રવારે દેવી લક્ષ્મી સાથે રિદ્ધિ-સિદ્ધિ આપનાર ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ, આનાથી આર્થિક સંકટ દૂર થાય છે.

 

BIG BREAKING: બોલાચાલી અંગે ખૂદ રિવાબાએ કર્યો હકીકતનો ખુલાસો, કહ્યું- પૂનમબેન માડમે મારી સેલ્ફ રિસ્પેક્ટ…

BREAKING: ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્રયાનથી અલગ થઈને વિક્રમ એકલો ચંદ્ર તરફ નીકળ્યો, આ દિવસ સૌથી વધારે મહત્વનો

ઈસરોના વૈજ્ઞાનિકોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી, પૂનાવાલાએ કર્યો દાવો, જાણો ખરેખર શું ચાલી રહ્યું છે આ બધું

 

 

શ્રી યંત્રને ઘરના મંદિરમાં સ્થાન આપો અને દરરોજ તેની પૂજા કરો. ખાસ કરીને શુક્રવારે આ વાતનું ધ્યાન રાખો. આમ કરવાથી જીવનમાં આર્થિક સંકટ દૂર થાય છે. માતા લક્ષ્મીની પૂજામાં ગુલાબના ફૂલ ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રવારના વ્રત દરમિયાન ગુલાબ ચઢાવવાથી ધનની દેવીના આશીર્વાદ જળવાઈ રહે છે.

 

 

 


Share this Article