સનાતન ધર્મમાં પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા કરવાથી આપણા અને આપણા પરિવાર પર દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે લાખ પ્રયત્નો છતાં તમારા બધા કામ વ્યર્થ જાય છે અને તમે ગરીબાઈના ખાડામાં ડૂબકી મારવા માંડો છો.
વડોદરાના આવેલું છે કુબેર ભંડારી મંદિર
મોટાભાગના લોકો એવું માને છે કે હિંદુ ધર્મમાં ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી જ તેમને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે, પરંતુ તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં ધનના દેવતાઓ પણ છે. આ દેવતાનો આશીર્વાદ મેળવ્યા બાદ જીવનમાંથી આર્થિક સમસ્યા મટી જાય છે.
હિંદુ ધર્મમાં ધનના દેવતાઓ પણ છે
હિંદુ ધર્મમાં કુબેરને ધનના દેવતા કહેવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારો કહે છે કે જેના પર ભગવાન કુબેરની કૃપા હોય છે તે ભિખારી પણ રાતોરાત રાજા બની જાય છે. કુબેર દેવતાના મંદિરો તમને મોટાભાગની જગ્યાએ જોવા નહીં મળે, પરંતુ અહીં એક એવા મંદિરની વાત કરવામાં આવી છે જ્યાં માથું નમાવશો તો નસીબજોગે આર્થિક સમસ્યા મટી જાય છે.
આ છે કુબેરનુ ખાસ મંદિર
જે લોકો ગરીબીના ખાડામાં ડૂબી રહ્યા છે તેઓએ એક વાર કુબેર દેવતાના આ મંદિરના દર્શન અવશ્ય કરો. ભારતના આ પ્રાચીન મંદિરનું નામ કુબેર ભંડારી મંદિર છે. આ વિશે એવું કહેવાય છે કે જે પણ અહીં એક વાર જાય છે તે ક્યારેય ખાલી હાથ પાછો નથી આવતો. ભગવાન કુબેરનું પ્રસિદ્ધ મંદિર ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું છે જ્યાં દરેક વ્યક્તિએ એક વાર મુલાકાત લેવી જ જોઈએ.
બસ એક અઠવાડિયું કાઢી નાખો પછી આ 3 રાશિના લોકો ચારેકોરથી છાપશે, સૂર્ય-ગુરુની યુતિ કરોડપતિ બનાવશે!
ભગવાન કુબેર કોણ છે?
સનાતન ધર્મમાં ભગવાન કુબેરને ધનેશના નામથી પણ બોલાવવામાં આવે છે. ધનેશ લોકપાલ એટલે કે વિશ્વના રક્ષક પણ છે અને કુબેર દેવતાને યક્ષના રાજા પણ કહેવામાં આવે છે. આ સિવાય કુબેર દેવ ઉત્તર દિશાના દિગ્પાલ છે. ધર્મોના જાણકાર જણાવે છે કે ભગવાન કુબેર ભગવાન શિવના દ્વારપાળ પણ છે.