પૃથ્વી પર પહેલી દુલ્હન કોણ હતી, લગ્નની પરંપરા કેવી રીતે શરૂ થઈ? કોણે નિમયો બનાવ્યા, જાણો દરેક જવાબ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Interesting Marriage Stories: હાલ દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તમને વારંવાર બેન્ડના અવાજ સાંભળવા મળશે. હિન્દુ ધર્મમાં લગ્ન સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન, વર અને કન્યા વિવિધ ધાર્મિક વિધિઓ કરીને એકબીજાના બને છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પર પ્રથમ વખત કોણે લગ્ન કર્યા? આ પરંપરા ક્યાંથી શરૂ થઈ? આજે અમે તમને જણાવીશું કે તે બે વ્યક્તિઓ કોણ હતા જેમણે પૃથ્વી પર પહેલીવાર લગ્ન કર્યા હતા.

પૃથ્વી પરનું પ્રથમ યુગલ

હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના દરમિયાન તેમના શરીરના બે ટુકડા કર્યા હતા, જેમાંથી એક ભાગને ‘કા’ અને બીજાને ‘યા’ કહેવામાં આવતું હતું. આ બંનેએ મળીને ‘કાયા’ બનાવી અને આ કાયામાંથી સ્ત્રી અને પુરુષ તત્વોનો જન્મ થયો. અહીં જે પુરુષ તત્વની વાત કરવામાં આવી છે તેનું નામ સ્વયંભુ મનુ અને સ્ત્રી તત્વ જે જન્મ્યું તેને શતરૂપા કહેવામાં આવ્યું.

કોણે લગ્નના નિયમો બનાવ્યા

હિંદુ ધર્મમાં મનુ અને શતરૂપાને પૃથ્વીના પ્રથમ મનુષ્યો માનવામાં આવે છે. જ્યારે આ બંને પૃથ્વી પર સામસામે આવ્યા, ત્યારે ભગવાન બ્રહ્મા પાસેથી પ્રાપ્ત સાંસારિક અને પારિવારિક જ્ઞાને તેમને દાંપત્ય જીવનમાં પ્રવેશવાની દિશા આપી. હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર આ પૃથ્વી પર પ્રથમ યુગલ મનુ અને શતરૂપા હતા.

મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ

ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા

ઘણું વાંચ્યું અને જોયું હશે પણ આજ સુધી તમને શિવના આ અવતાર વિશે ખ્યાન નહીં હોય, શિવરાત્રિ પર જાણો આ નામ

બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે લગ્નની શરૂઆત સ્વેત ઋષિએ કરી હતી. શ્વેત ઋષિએ લગ્નની પરંપરા, નિયમો, પ્રતિષ્ઠા, મહત્વ, સિંદૂર, મંગળસૂત્ર, સાત ફેરા સહિત તમામ બાબતોની સ્થાપના કરી હતી. શ્વેત ઋષિએ બનાવેલા નિયમોમાં લગ્ન બાદ પતિ-પત્નીને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.


Share this Article