રામ મંદિર માટે તૈયાર થયો 2100 કિલોનો મહા ઘંટ, દૂર-દૂર સુધી સંભળાશે ઘંટનાદ

Desk Editor
By Desk Editor
Share this Article

Ayodhya News: 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન છે.દેશભરમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રામ મંદિરમાં અંદરની બાજુ જે ઘંટ લાગવાનો છે તે વિશાળ ઘંટ બનીને તૈયાર થઇ ગયો છે.આ ઘંટ યૂપીના જલેસરમાં બનાવાયો છે.રામ મંદિરનો વિશાળ ઘંટ અયોધ્યા તરફ રવાના પણ થઇ ચૂક્યો છે.

રામ મંદિરના ઘંટની વિશેષતાઓ વિશે જણાવીએ તો આ ઘંટ અષ્ટધાતુમાંથી બનાવવામાં આવ્યો છે. તેમાંથી જે ધ્વનિ ઉત્તપન થશે એ અદ્દભૂત હશે સાથે જ દૂર સુધી લોકોને સંભળાશે. આ ઘંટના નિર્માણ પાછળ લગભગ 25 લાખ જેટલો ખર્ચ થયો છે. જેનો વજન 2100 કિલોગ્રામ છે ઉપરાંત ઉંચાઇ 6 ફીટ અને પહોળાઇ 5 ફીટ છે. લગભગ 70 જેટલા શ્રમિકો ઘંટની કારીગીરીમાં જોડાયા હતા. આ વિશાળ ઘંટ રામ મંદિરની સુંદરતામાં વધારો કરશે.

Big Breaking: ઉદ્ધવનો નિર્ણય પાર્ટીનો નિર્ણય નથી… સ્પીકરે એકનાથ શિંદેને શિવસેનાના અસલી ‘રાજા’ કર્યો ઘોષિત

વાઇબ્રન્ટ સમિટમાં દેશનો જય જયકાર.. ગુજરાતમાં 3,200 કરોડનું રોકાણ કરશે સુઝુકી ગ્રૂપ, તોશિહિરો સુઝુકીનું મોટું એલાન

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા અલગ-અલગ ધાર્મિક અનુષ્ઠાન માટે દેશભરમાંથી કુલ 108 સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા સંતો-મહંતો ધાર્મકિ અનુષ્ઠાન કરી રહ્યા છે. કોઇ વૃદાંવનથી આવ્યું છે તો કોઇ કાશી, પ્રયાગરાજ, જમ્મુ કાશ્મીર તો કોઇ નેપાળથી આવ્યું છે.


Share this Article