આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Shani Transit: માર્ચ મહિનામાં ઘણા ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. ગ્રહોના સંક્રમણને કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ જોવા મળશે તો કેટલીક રાશિઓના જીવનમાં વસંત આવશે. કર્મફળ આપનાર શનિદેવ 15 માર્ચથી શતભિષા નક્ષત્રમાં સંક્રમણ કરશે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં છે. તે 5 માર્ચે ઉદય પામશે.

શતભિષા નક્ષત્રમાં શનિના સંક્રમણને કારણે 5 રાશિઓને લાભ થશે

આ પછી તે શતભિષા નક્ષત્રમાં સંક્રમણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ખૂબ જ ધીમી ગતિનો ગ્રહ છે. શનિદેવ 15 માર્ચથી 17 ઓક્ટોબર સુધી શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં રહેશે. તેનો માલિક ગુરુ ગ્રહ છે. શતભિષા નક્ષત્રમાં શનિના સંક્રમણને કારણે 5 રાશિઓને લાભ થશે. આવો અમે તમને તે રાશિઓ વિશે જણાવીએ.

મેષ

જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે શતભિષા નક્ષત્રમાં શનિનું સંક્રમણ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ નક્ષત્રમાં તમે નવા પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી શકો છો. વેપારી માટે આ સમયગાળો ઘણો લાભદાયક રહેશે. જેઓ નોકરી કરી રહ્યા છે, તેમને આગળ વધવાની તક મળશે. માન-સન્માન ઉપરાંત તમને આર્થિક લાભ પણ મળશે.

મિથુન

મિથુન રાશિના જાતકોને શતભિષા નક્ષત્રમાં શનિદેવના આગમનથી ઘણો ફાયદો થશે. આ લોકોને છેલ્લા અઢી વર્ષમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, આ માટે શનિદેવ તેમને શુભ ફળ આપશે. શનિદેવ મિથુન રાશિના નવમા ઘરમાં રહેશે. આ સમય દરમિયાન તમારી યાત્રા સફળ રહેશે અને તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે.lokpatrika advt contact

સિંહ

સિંહ રાશિના લોકો માટે શનિનું સંક્રમણ શુભ રહેશે. તેને સફળતા મળશે. જો નોકરી કરતા લોકો ટ્રાન્સફર લેવા ઈચ્છે તો તેમને સફળતા મળી શકે છે. જ્યારે નોકરી શોધનારાઓને પણ હકારાત્મક પરિણામ મળવાની અપેક્ષા છે. શનિનું સંક્રમણ પૈસાની દ્રષ્ટિએ પણ લાભ આપશે.

તુલા

શનિનું આ નક્ષત્ર સંક્રમણ તુલા રાશિના જાતકોની કારકિર્દી માટે સારું રહેશે. આ લોકોને અનુકૂળ અને સુખદ પરિણામ મળશે. જે લોકો પોતાનું કામ કરે છે, તેમને આર્થિક લાભ મળી શકે છે. પણ ખોટી સલાહ ન લો. આનાથી ફાયદો નહીં પણ નુકસાન થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો લાભદાયી રહેશે. મહેનતનું ફળ મળશે.

સમય અને સત્ય બન્ને… હિડનબર્ગના રિપોર્ટ બાદ આજે 1 મહિના પછી અદાણીએ મૌન તોડ્યું, ધનિકોની યાદીમાં પણ કુદકો માર્યો

બાપ રે: 350 વર્ષથી જૂના શિવજીના મંદિરમાં અચાનક શિવલિંગ પર પડવા લાગી મોટી તિરાડો, પુજારી સહિત ભક્તો દોડતા થયાં

લાખો બેંક કર્મચારીઓને જલસા, હવે દર અઠવાડિયે બે દિવસની રજા મળશે, બસ આ શરત સ્વીકારવી પડશે

ધનુ

શનિનું આ સંક્રમણ ધનુ રાશિના લોકો માટે પણ સફળ સાબિત થશે. તમને ઘણો ફાયદો થશે. જેમને નોકરી જોઈએ છે, તેમને ઈચ્છિત નોકરી પણ મળશે. વેપારીઓને પણ આર્થિક લાભ મળશે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે અને તેમને પ્રમોશન મળી શકે છે.


Share this Article