તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડને નિયમિત પાણી ચઢાવવાની અને તેની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને ધન-ધાન્યનો ભંડાર ભરેલો રહે છે. એટલું જ નહીં તુલસીની મંજરીના ઉપાયોથી આર્થિક સંકટ પણ દૂર થાય છે. આવો જાણીએ સુખ, સમૃદ્ધિ અને પૈસા માટે તુલસી મંજરીના ઉપાયો…
સંપત્તિના ઉપાયઃ તુલસીની મંજરીને લાલ રંગના કપડામાં બાંધી દો. હવે આ કપડાને ઘરની તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને ધન-ધાન્યનો ભંડાર ભરેલો રહે છે.
મા લક્ષ્મીને મંજરી અર્પણ કરોઃ શુક્રવારે મા લક્ષ્મીની પૂજા દરમિયાન માતાને મંજરી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ધન આવવાનો માર્ગ ખુલે છે.
લગ્નમાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયઃ લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા અને સુખી દામ્પત્ય જીવન માટે તુલસી મંજરીને દૂધમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી લગ્નમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે અને વહેલા લગ્નની સંભાવનાઓ બને છે. જો કે ભગવાન શિવ અને ગણેશને તુલસી અર્પણ કરવું વર્જિત માનવામાં આવે છે.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાના ઉપાયઃ ગંગાના પાણીમાં તુલસીના પાન મિક્સ કરીને રાખો. હવે આ પાણીને રોજ ઘરમાં છાંટો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એટલું જ નહીં આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.