Adani Group Q1 Results 2023: અદાણી ગ્રુપે આજે તેની કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. અદાણી ગ્રીનના ચોખ્ખા નફામાં 51 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, અદાણી એનર્જી સોલ્યુશન્સના ચોખ્ખા નફામાં 8 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીનો સંકલિત ચોખ્ખો નફો લગભગ 51 ટકા વધીને રૂ. 323 કરોડ થયો છે. કંપનીએ સોમવારે શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે આ ક્વાર્ટરમાં આવકમાં વધારો થવાને કારણે તેનો નફો વધ્યો છે.
કંપનીનો ચોખ્ખો નફો કેટલો વધ્યો?
ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો ૨૧૪ કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક વધીને રૂ.2,404 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.1,701 કરોડ હતી.
બની દેશની સૌથી મોટી એનર્જી કંપની
અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે 8,316 મેગાવોટની ઓપરેટિંગ ક્ષમતા સાથે તે દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બની છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેણે 6,023 મિલિયન યુનિટ વીજળી વેચી હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 3,550 મિલિયન યુનિટની સરખામણીએ 70 ટકા વધારે છે.
કંપનીના સીઈઓએ માહિતી આપી હતી.
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમના સમર્પણે મજબૂત નાણાકીય અને ઓપરેશનલ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં સતત મુખ્ય ભૂમિકા ભજવી છે.” કંપનીનું લક્ષ્ય સોલર, વિન્ડ અને હાઇબ્રિડ (એક જ જગ્યાએ સૌર અને પવન ઊર્જા) પ્રોજેક્ટ્સ દ્વારા 2030 સુધીમાં તેની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારીને 45 ગીગાવોટ (એક જીડબલ્યુ બરાબર 1,000 મેગાવોટ) કરવાનું છે.
હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર
મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો
અદાણી એનર્જી સોલ્યુશન્સનો નફો કેટલો છે?
આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 8 ટકા વધારીને રૂ.181.98 કરોડ કર્યો છે. મુખ્યત્વે આવકમાં વધારાને કારણે તેનો નફો વધ્યો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સનું નામ અગાઉ અદાણી ટ્રાન્સમિશન હતું. કંપનીએ એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ.૧૬૮.૪૬ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. સમીક્ષાધીન ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક વધીને રૂ.3,772.25 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.3,249.74 કરોડ હતી.