ટાટા ગ્રુપે રોજગારને લઈને મોટી જાહેરાત કરી છે. જૂથનું કહેવું છે કે તે આગામી 5 વર્ષમાં 5 લાખ નોકરીઓનું સર્જન કરશે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અધ્યક્ષ એન ચંદ્રશેખરને આની જાહેરાત કરી છે. ચંદ્રશેખરન અનુસાર આવનારા સમયમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સંબંધિત ઉદ્યોગો જેવા ઘણા ક્ષેત્રોમાં ભરતી કરવામાં આવશે.
5 વર્ષમાં 5 લાખ નોકરીઓનો લક્ષ્યાંક
ઈન્ડિયન ક્વોલિટી મેનેજમેન્ટ ફાઉન્ડેશનના સેમિનારમાં ચેરમેન એન ચંદ્રશેખરને આ જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતના વિકસિત બનવાના લક્ષ્યમાં આ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. જો આપણે મેન્યુફેક્ચરિંગ જોબ્સમાં વધારો કરીશું તો જ આપણે વિકસિત ભારતના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીશું.
કયા ક્ષેત્રોમાં નોકરીઓ ઉપલબ્ધ થશે?
ટાટા ગ્રુપે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓની જાહેરાત કરી છે. ચંદ્રશેખરને કહ્યું કે ટાટા ગ્રુપ સેમિકન્ડક્ટર, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સંબંધિત આગામી 5 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન કરવા જઈ રહ્યું છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
તમને જણાવી દઈએ કે ટાટા ગ્રૂપ આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીથી સંબંધિત અનેક યુનિટ બનાવી રહ્યું છે. તેની અંદર ઘણી નાની-મોટી કંપનીઓ ખોલવામાં આવશે, જે નોકરીની તકો ઉભી કરશે. ચંદ્રશેખરને આ લક્ષ્યને હાંસલ કરવા માટે સરકારી સમર્થનની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારતે વધતા વર્કફોર્સને પહોંચી વળવા માટે લગભગ 10 કરોડ નોકરીઓ ઊભી કરવી પડશે.