ના હોય…! હવે ખેડૂતો પર ટેક્ષ લગાવવાની તૈયારીમાં છે સરકાર, RBI તરફથી જાણકારી સામે આવી

Desk Editor
By Desk Editor
Share this Article

Business News: RBIની મૌદ્રિક નીતિ સમિતિ એટલે કે MPC તરફથી દેશના ખેડૂતો માટે માઠા સમાચાર છે. MPC સભ્ય અશિમા ગોયલે કહ્યું છે કે, સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલીને તેમની કાળજી લઈ રહી છે. જ્યારે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકાર સમૃદ્ધ ખેડૂતો પર આવકવેરો લાદવાની યોજના બનાવી શકે છે.

શું છે પ્લાન?

અશિમા ગોયલે મીડિયાને વધુમાં જણાવ્યું કે, ખેડૂતો માટે સરકાર તરફથી પૈસાની લેવડદેવડ એક નકારાત્મક આવકવેરા જેવી છે. આ સાથે સમૃદ્ધ ખેડૂતો માટે હકારાત્મક આવકવેરો લાગુ કરી શકાય છે. જે નીચા ટેક્સ દરો અને ન્યૂનતમ મુક્તિ સાથે ડેટા સમૃદ્ધ સિસ્ટમ તરફના પગલાનો એક ભાગ છે. ભારતમાં કૃષિ આવક પર કર લાદવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી હતી.

ઘણી ચીજો પર નિર્ભર છે વદ્ધિ દર

પ્રખ્યાત અર્થશાસ્ત્રીએ આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં ગઠબંધન સરકારો અથવા તો એક દલીય શાસનમાં સારા પ્રદર્શન વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધિ દર ઘણી ચીજો પર નિર્ભર કરે છે, પરંતુ કોઈ પણ સરકારનું મૂલ્યાંકન કરતી વખતે એ પણ જોવાનું હોય છે કે તેને કેવો વિકાસ દર વારસામાં મળ્યો છે અને તેણે દેશ માટે શું છોડી દીધું છે.

અશિમા ગોયલે છેલ્લે શું કહ્યું?

BIG BREAKING: 22 જાન્યુઆરી માટે રાજ્ય સરકારનું મોટું એલાન, ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી કાર્યાલાયમાં રજા કરી જાહેર

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??

આ સાથે અશિમા ગોયલે એ પણ કહ્યું કે, એક પક્ષની સરકાર એવા પગલાં લઈ શકે છે જે ટકાઉ લાંબા ગાળાની વૃદ્ધિને સક્ષમ બનાવે છે. ભારતમાં જીવંત ખાનગી ક્ષેત્રની સાથે સરકારી પહેલને સક્ષમ બનાવવાનું સારું મિશ્રણ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, આ માટે વ્યક્તિગત સ્વતંત્રતાઓ અને ક્ષમતાઓની સારી રીતે ડિઝાઇન કરેલી સરકારી સુવિધાની જરૂર છે જે સમજદાર નિયમન દ્વારા સુરક્ષિત છે.


Share this Article
TAGGED: