હિંડનબર્ગ હુમલાથી ઘેરાયેલા ગૌતમ અદાણી હવે તેમની કંપની સંભાળવામાં વ્યસ્ત છે. ગૌતમ અદાણીએ મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝના ત્રિમાસિક પરિણામો બહાર આવ્યા બાદ રોકાણકારોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે અદાણીના શેરમાં ચાલી રહેલો ઘટાડો અસ્થાયી છે. કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને અમે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે અદાણી જૂથે ફરી એકવાર રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે.
અદાણીએ રોકાણકારોને અપાવ્યો વિશ્વાસ
અદાણી જૂથે રોકાણકારોને કહ્યું છે કે અમારી પાસે પૈસાની કોઈ અછત નથી. અમારી પાસે લોન ચૂકવવા માટે પૂરતું ભંડોળ છે. અમે વૃદ્ધિ પર ધ્યાન આપી રહ્યા છીએ. અદાણી ગ્રૂપે બુધવારે રોકાણકારોને ખાતરી આપી હતી કે તેની બેલેન્સ શીટ “ખૂબ સારી” સ્થિતિમાં છે અને તે વ્યાપાર વૃદ્ધિ વેગને જાળવી રાખવા પર નજર રાખી રહ્યું છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથ પર અયોગ્ય રીતે શેરના ભાવમાં વધારો કરવાનો આરોપ મૂક્યા બાદ ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. આનાથી રોકાણકારોના હિતોના રક્ષણ અંગે પ્રશ્નો ઉભા થયા છે.
કંપનીની સ્થિતિ મજબૂત, પૈસાની કોઈ અછત નથી
અદાણી ગ્રૂપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) જુગશિન્દર સિંઘે ત્રિમાસિક પરિણામોની જાહેરાત બાદ રોકાણકારોની ચર્ચામાં જણાવ્યું હતું કે જૂથ તેના આંતરિક નિયંત્રણો, અનુપાલન અને કોર્પોરેટ ગવર્નન્સ પર વિશ્વાસ ધરાવે છે. જૂથે તેની કંપનીઓના નાણાકીય નિવેદનોના સારાંશ પણ અલગથી જારી કર્યા હતા જેથી તે બતાવવામાં આવે કે તેની પાસે પૂરતી રોકડ છે અને તે તેના દેવાની ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવે છે. અમારા હિસાબી પુસ્તકો ખૂબ સારી સ્થિતિમાં છે. અમારી પાસે ઉદ્યોગની અગ્રણી વૃદ્ધિની સંભાવના, મજબૂત કોર્પોરેટ કામગીરી, સુરક્ષિત સંપત્તિ અને મજબૂત રોકડ પ્રવાહ છે.
છેલ્લા 3 સપ્તાહમાં ગ્રૂપ કંપનીઓના કુલ માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો
આ સાથે અદાણીએ કહ્યુ કે એકવાર વર્તમાન બજાર સ્થિર થઈ જાય પછી અમે અમારી મૂડી બજારોની વ્યૂહરચનાની સમીક્ષા કરીશું, પરંતુ શેરધારકોને મજબૂત વળતર આપતો વ્યવસાય પહોંચાડવાની અમારી ક્ષમતા પર વિશ્વાસ રાખીશું. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ સતત દબાણ હેઠળ છે. જો કે જૂથે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવીને ફગાવી દીધા છે, પરંતુ તેનાથી રોકાણકારોના વિશ્વાસને અસર થઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ગ્રૂપ કંપનીઓના કુલ માર્કેટ વેલ્યુએશનમાં $125 બિલિયનનો ઘટાડો થયો છે.
આખા 19 વર્ષ સુધી ચાલે છે શનિની મહાદશા! ભિખારીને પણ બનાવી દે રાજા, સમજો કે સુખની ચરમ ચીમા મળી જાય
કેવા છોકરા સાથે લગ્ન કરશે જયા કિશોરી? જયાએ પોતાના દિલની વાત કહી, આ વાતને સૌથી પહેલા ચેક કરશે
આ સંદર્ભમાં સિંઘે જણાવ્યું હતું કે અમારું ધ્યાન બજારના આ અસ્થિર વાતાવરણમાં અમારા બિઝનેસ વેગને ચાલુ રાખવા પર છે. અમને અમારા આંતરિક નિયંત્રણો, નિયમનકારી અનુપાલન અને કોર્પોરેટ ગવર્નન્સ પર વિશ્વાસ છે. સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના અંતે અદાણી ગ્રૂપનું કુલ દેવું રૂ. 2.26 લાખ કરોડ હતું જ્યારે તેની પાસે રૂ. 31,646 કરોડની રોકડ હતી. CFOએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝ, જૂથની મુખ્ય કંપની, શેરધારકો માટે મૂલ્યનું સર્જન કરવા માટે 25 વર્ષનો શિસ્તબદ્ધ મૂડી રોકાણનો ઈતિહાસ ધરાવે છે અને આ સમયગાળા દરમિયાન જૂથ કંપનીઓ અનેક ક્ષેત્રોમાં અગ્રણી તરીકે ઉભરી આવી છે.