ગુજરાતના મુંદ્રા ખાતે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથની તાંબાનું ઉત્પાદન કરતી ફેક્ટરી આવતા વર્ષે માર્ચથી કામગીરી શરૂ કરશે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આનાથી આયાત પરની ભારતની નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ મળશે.
તાંબુ એ વિદ્યુતીકરણની ધાતુ છે
ઊંડા વીજળીકરણ માટે જરૂરી વાયરોને કારણે તાંબાને ‘વિદ્યુતીકરણની ધાતુ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરો સામાન્ય રીતે તાંબાના બનેલા હોય છે. ઊર્જા સંક્રમણની મહત્વપૂર્ણ તકનીકો જેમ કે ઇલેક્ટ્રિક વાહનો (EV), ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૌર ફોટોવોલ્ટેઇક (PV), પવન શક્તિ અને બેટરીઓ માટે તાંબાની જરૂર પડે છે.
કચ્છ કોપર લિમિટેડ બે તબક્કામાં કોપરનું ઉત્પાદન કરશે
ગ્રૂપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL), બે તબક્કામાં વાર્ષિક 10 લાખ ટન રિફાઇન્ડ કોપરનું ઉત્પાદન કરવા માટે કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
કોપર પ્રોજેક્ટ શેડ્યૂલ મુજબ આગળ વધી રહ્યો છે – અદાણી
આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે કેસીએલએ ફેઝ-1માં વાર્ષિક પાંચ લાખ ટનની ઉત્પાદન ક્ષમતા માટે ભંડોળ મેળવ્યું છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કો નાણાકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. થોડા દિવસો પહેલા અદાણીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં પણ કહ્યું હતું કે પ્રોજેક્ટ તેના સમયપત્રક મુજબ આગળ વધી રહ્યો છે.