Business News: સરકારે મે મહિનાની શરૂઆતમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. પ્રતિબંધ હટાવ્યા બાદ અત્યાર સુધીમાં 45,000 ટનથી વધુ ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. એક ટોચના સરકારી અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. ભારત વિશ્વમાં ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો અને મંદ ઉત્પાદનને કારણે ભાવ વધ્યા પછી માર્ચમાં તેને લંબાવ્યો હતો. નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા પછી ડુંગળી પર ટન દીઠ US $ 550 નો લઘુત્તમ નિકાસ ભાવ લાદવામાં આવ્યો હતો. આ મુજબ ભારતે થોડા દિવસોમાં લગભગ 2,06,08,63,200 રૂપિયાની ડુંગળીની નિકાસ કરી છે.
ઉપભોક્તા બાબતોના મંત્રાલયના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે પ્રતિબંધ હટાવ્યા બાદથી 45,000 ટનથી વધુ ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. મોટાભાગની નિકાસ પશ્ચિમ એશિયા અને બાંગ્લાદેશમાં થઈ હતી. ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવ નીચા રાખવા માટે સરકારે 4 મેના રોજ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. જો કે પ્રતિ ટન US$550 ની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) લાદવામાં આવી હતી. ખરેએ જણાવ્યું હતું કે આ વર્ષે સારા ચોમાસાની આગાહી જૂનથી ડુંગળી સહિત ખરીફ (ઉનાળુ) પાકની સારી વાવણી સુનિશ્ચિત કરશે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી….
તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ માટે લક્ષિત 5,00,000 ટન બફર સ્ટોક જાળવી રાખવા માટે જાહેર ક્ષેત્રની એજન્સીઓએ તાજેતરના રવિ (શિયાળા) પાકમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરી છે. કૃષિ મંત્રાલયના પ્રારંભિક અંદાજ મુજબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર જેવા મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં ઓછા ઉત્પાદનને કારણે પાક વર્ષ 2023-24માં દેશનું ડુંગળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 16 ટકા ઘટીને 25.4 મિલિયન ટન થવાની સંભાવના છે.