SBI News: દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIએ નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ, ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટ શરૂ કરી છે. ભારતીય નાગરિકોની સાથે NRI પણ SBIની આ સ્કીમમાં નાણાંનું રોકાણ કરી શકે છે. જેમાં રોકાણકારો ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટમાં ત્રણ અલગ-અલગ મુદત – 1,111 દિવસ, 1,777 દિવસ અને 2,222 દિવસ માટે નાણાંનું રોકાણ કરી શકે છે.
બેંક આ યોજનામાં રોકાયેલા નાણાંનો ઉપયોગ પર્યાવરણીય હિતના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે કરશે. આ પ્રોજેક્ટ્સમાં પુનઃપ્રાપ્ય ઊર્જા, ઊર્જા કાર્યક્ષમ, જળ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ વગેરેનો સમાવેશ થાય છે.
SBIના ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું હતું કે સરકારે 2070 સુધીમાં ભારતને નેટ કાર્બન ઝીરો રાષ્ટ્ર બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. તેને પરિપૂર્ણ કરવા માટે SBIએ ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટ રજૂ કરી છે.
પર્યાવરણીય રીતે જવાબદાર નાણાકીય ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે આ એક પગલું છે. દિનેશ ખારાએ જણાવ્યું હતું કે હાલમાં આ યોજના શાખા નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તે ‘યોનો’ એપ અને ઓનલાઈન બેંકિંગ જેવા ડિજિટલ માધ્યમો પર પણ ઉપલબ્ધ થશે.
જાણો કોણ-કોણ રોકાણ કરી શકે છે?
કોઈપણ ભારતીય, બિન-વ્યક્તિ અને બિન-નિવાસી ભારતીયો SBI ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટમાં રોકાણ કરી શકે છે. આ યોજનાની મુદત 1111 દિવસ, 1777 દિવસ અને 2222 દિવસ છે. રોકાણકાર આ સમયગાળામાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે.
જાણો કેટલું વ્યાજ મળશે?
એસબીઆઈ ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટમાં 1111 દિવસ અને 1777 માટે નાણાંનું રોકાણ કરનારા સામાન્ય ગ્રાહકોને 6.65 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. તે જ સમયે, જે ગ્રાહકો 2222 દિવસ માટે નાણાંનું રોકાણ કરે છે તેમને 6.40 ટકા વ્યાજ આપવામાં આવશે. બેંક વરિષ્ઠ નાગરિકોને વધારાનું વ્યાજ આપશે.
જો તમે 1111 દિવસ અને 1777 દિવસ માટે બલ્ક ડિપોઝિટ પર નાણાંનું રોકાણ કરો છો, તો તમને 6.15 ટકા વાર્ષિક વ્યાજ મળશે અને જો તમે 2222 દિવસ માટે નાણાંનું રોકાણ કરો છો, તો તમને 5.90 ટકા વાર્ષિક વ્યાજ મળશે.
પૂર્વ ઉપાડની સુવિધા ઉપલબ્ધ રહેશે
Video: સીમા હૈદર જશે અયોધ્યા! કહ્યું- રામલલાના દર્શન માટે આખો પરિવાર જશે પગપાળા, જુઓ વીડિયો
Big Breaking: નીતિશ કુમારે સંયોજક પદ લેવાનો ઇનકાર કર્યો, I.N.D.I.A. ગઠબંધનની બેઠક સમાપ્ત
રોકાણકારોને SBI ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટમાં પ્રી-મેચ્યોર ઉપાડની સુવિધા મળશે. આનો અર્થ એ છે કે તમે આ FDમાં રોકાણ કરેલા પૈસા મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય તે પહેલાં જ ઉપાડી શકો છો. એટલું જ નહીં, બેંક આ FD પર લોન અને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપશે. આવકવેરાના નિયમો અનુસાર આ સ્કીમ પર TDS પણ લાગુ થશે.