Cricket News: ભારતના અનુભવી બેટ્સમેન શિખર ધવને પોતાના વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે એક વખત અનુભવી મિતાલી રાજ સાથે તેના લગ્નની અફવાઓ હતી. આ સિવાય કાર અકસ્માત બાદ ક્રિકેટમાં પરત ફરેલા ઋષભ પંત માટે તેણે કહ્યું કે તેને પંત પર ગર્વ છે.
મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટરોમાંથી એક છે. હાલમાં તે મહિલા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. મિતાલીએ છેલ્લે ક્રાઈસ્ટચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે 2022 વર્લ્ડ કપની મેચમાં ભારતની જર્સી પહેરી હતી.
ધવન શોમાં ખુલાસો કરશે
હાલમાં, મિતાલી રાજ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સની મેન્ટર છે. બીજી તરફ ધવન તાજેતરમાં IPL 2024માં PBKS (પંજાબ કિંગ્સ) તરફથી રમ્યો હતો. જિયો સિનેમાના શો ‘ધવન કરેંગે’માં એક ઈન્ટરવ્યુ દરમિયાન ધવને મિતાલી સાથેના તેના અફવાઓ વિશે ખુલાસો કર્યો હતો.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
તેમના લગ્ન વિશે અફવા હતી.
ધવને કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે હું મિતાલી રાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું.’ આ જોઈને બંને હસવા લાગે છે. મિતાલી રાજ ધવનના શોમાં ગેસ્ટ તરીકે આવી હતી. આ દરમિયાન શિખરે મિતાલીને ક્રિકેટ અને તેના અંગત જીવનને લઈને ઘણા પ્રશ્નો પૂછ્યા.