Cricket News: થોડા દિવસો પહેલા સુધી એ સ્પષ્ટ નહોતું કે ઋષભ પંત IPL 2024માં રમશે કે નહીં, પરંતુ BCCIએ પુષ્ટિ કરી છે કે પંત સંપૂર્ણપણે ફિટ છે. ભારતનો વિકેટકીપર બેટ્સમેન પંત હવે પુનરાગમન કરવા અને ફરી એકવાર મેદાન પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. કાર અકસ્માતમાં ઘાયલ થયાના 14 મહિના બાદ ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. તેના માટે સારા સમાચાર એ છે કે દિલ્હી કેપિટલ્સે તેને ફરીથી કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી કેપિટલ્સ JSW ગ્રૂપની માલિકીની છે, જેના સહ-માલિક અને દિલ્હી કેપિટલ્સના ચેરમેન પાર્થ જિંદાલે ઋષભ પંતના પરત ફરવા અને તેને ફરીથી કેપ્ટન બનાવ્યા પર કહ્યું, “રિષભને ફરીથી કેપ્ટન તરીકે જોઈને અમને આનંદ થાય છે. મક્કમતા અને નિર્ભયતા તેમનામાં પહેલાથી જ છે. તે જે રીતે ક્રિકેટ રમે છે અને તે જ મક્કમતા તેના ઈજામાંથી પુનઃપ્રાપ્તિમાં પ્રતિબિંબિત થાય છે. હું તે જોવા માટે ઉત્સાહિત છું કે તે કેવી રીતે અમારી ટીમને પુનઃજીવિત કરે છે અને નવી સિઝન માટે નવા જુસ્સા અને ઉત્સાહ સાથે અમને આગળ ધપાવે છે.”
ટીમના સહ-માલિક કિરણ કુમાર ગાંધીએ કહ્યું, “રિષભે તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા દરમિયાન ખૂબ જ સખત મહેનત કરી છે. મને કોઈ શંકા નથી કે રિષભની મુશ્કેલ સફર નવી સિઝનમાં તેના સાથી ખેલાડીઓને પ્રેરણા આપશે. કેપ્ટન રિષભ અને સમગ્ર ટીમને અમારી શુભેચ્છાઓ.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
IPL 2024માં દિલ્હી કેપિટલ્સનો પ્રથમ મુકાબલો 23 માર્ચે પંજાબ કિંગ્સ સામે થશે. બંને ટીમોની આ મેચ ચંદીગઢમાં રમાશે. કાર અકસ્માતમાં થયેલી ઈજાને કારણે રિષભ પંત સંપૂર્ણપણે IPL 2023માંથી બહાર થઈ ગયો હતો, પરંતુ ખૂબ જ મહેનત કરીને તે માત્ર 14 મહિનામાં જ ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. પંત ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગ શૈલીથી પ્રભાવિત કરવા માટે તૈયાર હશે.