Cricket News: દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની હવે CSKનો કેપ્ટન નથી. ધોનીએ 21 માર્ચ ગુરુવારે તેમના સ્થાને રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી. અને ત્યારથી એવા અહેવાલો આવવા લાગ્યા કે ધોની IPL 2024 પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તમને જણાવી દઈએ કે ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વિદાય આપી હતી. પરંતુ તે આઈપીએલ રમી રહ્યો છે. એવી અટકળો છે કે ધોની આ સિઝનના અંતમાં નિવૃત્તિ લેશે. તેથી જ ફ્રેન્ચાઇઝી ખેલાડી તરીકે તેની હાજરી ઇચ્છતી હતી.
ધોની શરૂઆતથી જ CSK સાથે છે. અને એવી અપેક્ષા છે કે તે નિવૃત્તિ પછી પણ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા રહેશે. આ પહેલીવાર નથી જ્યારે CSKએ કેપ્ટનશિપમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો હોય. તેણે વર્ષ 2022માં પણ આવો જ પ્રયાસ કર્યો હતો. તે વખતે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. પરંતુ કામ થયું ન હતું. જાડેજાની કપ્તાની હેઠળ સીએસકે સિઝનની પ્રથમ આઠમાંથી છ મેચ હારી હતી. અને આ કારણે ધોનીએ ફરીથી કેપ્ટનશિપ સંભાળવી પડી હતી.
આ પ્રયોગ વિશે વાત કરતા CSK CEO કાસી વિશ્વનાથને પીટીઆઈને કહ્યું, 42 વર્ષીય ધોની ગત સિઝનમાં ઈજાગ્રસ્ત ઘૂંટણ સાથે રમ્યો હતો. CSKએ પાંચમું ટાઇટલ જીત્યા બાદ ધોનીએ ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. ધોનીએ પોતાની કારકિર્દીમાં 250 IPL મેચ રમી છે. જેમાંથી તેના નામે 5082 રન છે. ધોનીએ IPLમાં 24 અર્ધસદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 38.79 હતી જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 136 ની આસપાસ હતો. ઘૂંટણની સમસ્યાને કારણે ધોનીએ ગત સિઝનમાં આઠમા નંબર પર બેટિંગ કરી હતી.
જો કે તેમ છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ ખાસ ફરક જોવા મળ્યો ન હતો. ધોની વર્ષોથી CSKની ઓળખ છે. તેના હેઠળની ટીમે બે વખત ચેમ્પિયન્સ લીગ ટી20 પણ જીતી હતી. ધોનીએ તમામ ટૂર્નામેન્ટ સહિત 249 મેચોમાંથી 235માં ટીમનું નેતૃત્વ કર્યું છે. જ્યારે CSK પર સ્પોટ ફિક્સિંગ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ધોનીએ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સનો હવાલો પણ સંભાળ્યો હતો. ધોનીએ IPLની કુલ 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. આ યાદીમાં રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિતે 158 મેચમાં કેપ્ટનશિપ કરી છે. હવે રોહિત પણ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નથી. તેના સ્થાને ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
ધોનીએ છોડ્યું સુકાનીપદ, રૂતુરાજ બન્યો CSKનો નવો કેપ્ટન
એમએસ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે. IPLએ સત્તાવાર X હેન્ડલ પરથી આની જાહેરાત કરી છે. IPL 2024 ની શરૂઆત પહેલા કેપ્ટનના ફોટોશૂટની તસવીર શેર કરતી વખતે IPLએ કહ્યું કે CSKની કપ્તાની રુતુરાજ ગાયકવાડ કરશે.