Cricket News: હાર્દિક પંડ્યા માટે ખરેખરનો ખરાબ સમય આવ્યો છે. IPL 2024 માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક મુંબઈની કેપ્ટનશીપ કરે તે પહેલા ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે.
સૂર્યકુમાર યાદવે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર તૂટેલા હૃદયની ઇમોજી શેર કરી, જે સૂચવે છે કે કંઈક ખોટું છે. થોડા સમય પછી સમાચાર આવ્યા કે ટી20 ક્રિકેટના મિસ્ટર 360 ડિગ્રી કહેવાતા સૂર્યા ફિટનેસ ક્લિયરન્સ મેળવી શક્યા નથી. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) એ આ ક્લીયરન્સ આપવાનું હોય છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ સૂર્યકુમાર યાદવને NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી શક્યું નથી. સૂર્યાનો ફિટનેસ ટેસ્ટ હવે 21 માર્ચે લેવામાં આવશે. મતલબ કે હવે સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ રમી શકશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024માં તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
સૂર્યકુમારની ઈજામાંથી સાજા થવામાં નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સ માટે ત્રણ દિવસમાં ત્રીજો આંચકો છે. ઓસ્ટ્રેલિયાનો જેસન બેહરેનડોર્ફ એક દિવસ પહેલા જ ટીમની બહાર થઈ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે બેહરનડોર્ફના સ્થાને ઈંગ્લેન્ડના લ્યુક વૂડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો શ્રીલંકન ક્રિકેટર દિલશાન મધુશંકા પણ ઈજાના કારણે આઈપીએલની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે.