Cricket News: સ્ટાર ક્રિકેટર ઋષભ પંત ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં મેદાનમાં પરત ફરશે. ઋષભ પંત IPLની 17મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કપ્તાની સંભાળશે. જોકે, રિષભ પંત IPLની 17મી સિઝનમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે નહીં અને તે દિલ્હી કેપિટલ્સ તરફથી બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ઋષભ પંત બેંગ્લોરની નજીક અલુરમાં એક મેચ પણ રમી ચૂક્યો છે.
ઋષભ પંત ડિસેમ્બર 2022માં થયેલા માર્ગ અકસ્માત બાદથી ક્રિકેટના મેદાનથી દૂર છે. આ અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઈજાના કારણે તે ગયા વર્ષે આઈપીએલમાં ભાગ લઈ શક્યો ન હતો. રિષભ પંતને સાજા થવામાં લગભગ 1.5 વર્ષનો સમય લાગ્યો હતો. જો કે, ગયા વર્ષના ખરાબ પ્રદર્શન પછી દિલ્હી કેપિટલ્સ હવે ઋષભ પંતને શક્ય તેટલી વહેલી તકે મેદાનમાં જોવા માંગે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ BCCI પણ પંતની ફિટનેસને લઈને દિલ્હી કેપિટલ્સ દ્વારા સતત દબાણમાં છે.
રિષભ પંત બેટિંગ માટે તૈયાર છે
ક્રિકબઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઋષભ પંત IPLમાં તે જ રીતે બેટિંગ અને રનિંગ કરતો જોવા મળશે જે રીતે તે અકસ્માત પહેલા રમતો હતો. જોકે, દિલ્હી કેપિટલ્સે વિકેટકીપિંગની જવાબદારી કોઈ અન્ય ખેલાડીને સોંપવી પડશે. અકસ્માત બાદ રિષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પર સતત કામ કરી રહ્યો છે. ગયા મહિને BCCIએ પણ પંતને સારી સારવાર માટે લંડન મોકલ્યો હતો.
મરાઠાઓને મળી મોટી ભેટ, શિક્ષણ અને નોકરીઓમાં 10% અનામત માટેનું બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયું
જો તમારા સ્માર્ટફોનમાં પણ આ 3 વીડિયો હશે તો સીધા જેલભેગા થઈ જશો, આજે જ ચેક કરીને ડિલીટ કરી નાખજો
ભારતમાં આવો કોઈ જ પૂલ નથી, ઓખા દ્વારકા વચ્ચે બનેલા Sea Bridge વિશે જાણીને મોજ પડી જશે
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થવાની સંભાવના છે. જો કે, લોકસભાની ચૂંટણીને કારણે IPLની 17મી સિઝનનું શેડ્યૂલ એકસાથે જાહેર કરવામાં આવશે નહીં. મતદાનની તારીખો જાહેર થયા બાદ IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર થઈ શકે છે.