Cricket News: જે ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સૌથી વધુ અપેક્ષાઓ સાથે પ્રવેશી હતી તે હવે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળનારી પ્રથમ ટીમ બનવાની આરે છે. અમે વાત કરી રહ્યા છીએ સુપરસ્ટાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની. આ ટીમ એક વખત પણ આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી અને આ વખતે પણ તેની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ આ ટીમ માટે કરો યા મરો છે. જો તે અહીં હારી જશે તો ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. દર વખતે આ ટીમ ટુર્નામેન્ટ જીતવાની દાવેદાર હોય છે પરંતુ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શકતી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર સાથે આ સિઝનની શરૂઆત કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સતત 6 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની નજીક છે. હારનો અર્થ તેની રમત સમાપ્ત થશે.
આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયે રહેલી RCB ટીમ પર ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બનવાનું જોખમ છે. 8 મેચ રમ્યા બાદ અત્યાર સુધી ટીમ માત્ર 7 જ જીત મેળવી શકી છે. છેલ્લી 6 મેચમાં ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમને બાકીની 6 મેચમાંથી દરેક જીતવી જરૂરી છે. આ પછી પણ તેણે નેટ રન રેટ પર આધાર રાખવો પડશે.
દેશમાં ચારેકોર આટલી ગરમી કેમ પડી રહી છે? હજુ કેટલા દિવસ આકાશમાંથી આગ વરસશે, ક્યારે મળશે રાહત?
જો ટીમ એક પણ મેચ હારે છે તો તે સીધી જ બહાર થઈ જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ટીમને ઓછી આંકવામાં આવી રહી છે. આ મેચ બાદ ટીમને ગુજરાત ટાઇટન્સ સામે બે મેચ રમવાની છે જ્યારે પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક-એક મેચ રમવાની છે. આ તમામ મેચો ત્યારે જ અર્થપૂર્ણ રહેશે જ્યારે RCB સનરાઇઝર્સ સામે વિજય નોંધાવવામાં સફળ થશે.