Cricket News: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) પહેલા મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. 17મી સિઝનની શરૂઆતના એક દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાના કેપ્ટનને બદલી નાખ્યો. મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને રુતુરાજ ગાયકવાડને CSKની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. આ સિઝનમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફ્રેન્ચાઈઝીના કેપ્ટનને બદલવામાં આવ્યો હોય. આ પહેલા 5 વધુ ફ્રેન્ચાઇઝીએ પોતાના કેપ્ટન બદલ્યા છે.
શું ધોની પર ભારે દબાણ હતું?
ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ સવાલો ઉઠવા લાગ્યા કે શું 42 વર્ષીય માહી પર કેપ્ટનશિપ છોડવાનું દબાણ હતું? શું ધોની પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ છે? શું ટીમ મેનેજમેન્ટ હવે ધોનીથી ઉપર વિચારે છે? અથવા ધોનીએ પોતાની મરજીથી કેપ્ટનશીપ છોડી દીધી છે. તો ફ્રેન્ચાઈઝીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે શા માટે ધોનીને સુકાનીપદેથી હટાવવામાં આવ્યો છે.
ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન બહાર પાડ્યું
રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ, ફ્રેન્ચાઇઝીએ X પર એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મહેન્દ્ર સિંહ ધોનીએ ટાટા આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. રૂતુરાજ ગાયકવાડ 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે. ટીમ આગામી સિઝનની રાહ જોઈ રહી છે.’ CSKના નિવેદનથી સ્પષ્ટ છે કે ધોનીએ રૂતુરાજને પોતાની મરજીથી કેપ્ટન બનાવ્યો છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
સુકાનીપદ હેઠળ ધોનીનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 235 મેચ રમી છે અને 142માં જીત મેળવી છે. આ સિવાય CSKને 90 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ટાઈ રહી છે અને 2 પણ અનિર્ણિત રહી છે. ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાએ પણ CSKનું નેતૃત્વ કર્યું છે. સુકાની પદ છોડ્યા બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ધોનીની આ છેલ્લી સિઝન હોઈ શકે છે.