T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટે હાર્યા બાદ ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. પર્થની શાનદાર પીચ પર ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 133 રન જ બનાવી શકી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ આ સરળ લક્ષ્યાંક પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હરભજન સિંહે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બે ખેલાડીઓને તાત્કાલિક બહાર કરવા કહ્યું છે. હરભજન સિંહના મતે ઓપનર કેએલ રાહુલ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ.
હરભજન સિંહે વાત કરતા કહ્યું, ‘ભારતીય ટીમ મેનેજમેન્ટે નક્કર નિર્ણયો લેવા પડશે અને ખેલાડીઓથી ઉપર ઉઠીને ટીમ વિશે વિચારવું પડશે. કેએલ રાહુલ ભલે શાનદાર બેટ્સમેન હોય, પરંતુ તે અત્યારે ફોર્મમાં નથી. આવી સ્થિતિમાં કેએલ રાહુલની જગ્યાએ ઋષભ પંતને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવી જોઈએ. હરભજન સિંહે કહ્યું, ‘ઋષભ પંતે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ.’ આ સિવાય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટીમ ઈન્ડિયા માટે નબળી કડી સાબિત થઈ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 4 ઓવરમાં 43 રન આપ્યા હતા અને આ દરમિયાન તેને માત્ર એક જ વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિન મધ્ય ઓવરોમાં વિકેટ લેવામાં અસમર્થ છે.
હરભજન સિંહના મતે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી રવિચંદ્રન અશ્વિનને બહાર રાખીને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક આપવી જોઈએ. હરભજન સિંહે કહ્યું, ‘રવિચંદ્રન અશ્વિનને બદલે યુઝવેન્દ્ર ચહલને તક આપવી જોઈએ. યુઝવેન્દ્ર ચહલ વિકેટ લેનાર બોલર છે. યુઝવેન્દ્ર ચહલ મેચ વિનર બોલર છે. મને નથી લાગતું કે ટી-20માં અત્યારે યુઝવેન્દ્ર ચહલ કરતાં કોઈ સારો લેગ-સ્પિનર છે.