Cricket News: રોહિત શર્માને ક્રિકેટ રમતા 15 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ટૂંક સમયમાં તે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં ભારત સફેદ બોલ ક્રિકેટ અને લાલ બોલ ક્રિકેટમાં નવા કેપ્ટનની શોધમાં રહેશે. ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ બે એવા કેપ્ટનના નામ સૂચવ્યા છે જે ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરશે. સિદ્ધુએ લાલ બોલની ક્રિકેટ માટે જસપ્રિત બુમરાહ અને સફેદ બોલની ક્રિકેટ માટે હાર્દિક પંડ્યાનું નામ સૂચવ્યું છે.
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, “હાર્દિક પંડ્યા ભવિષ્ય છે. રોહિત શર્મા અત્યારે 36 કે 37 વર્ષનો છે. તેમણે મને લાગે છે 2 વર્ષ છે. તે એક શાનદાર કેપ્ટન છે. જ્યારે હું તેમને જોઉં છું, ત્યારે એવું લાગે છે કે જાણે સમય થંભી ગયો છે. પરંતુ હવે તમારે એવા ખેલાડીની જરૂર પડશે જે આગળ જોઈને ટીમની કમાન સંભાળશે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યા શ્રેષ્ઠ પસંદગી છે.
સિદ્ધુએ વધુમાં કહ્યું, “જો આપણે લાલ બોલના ક્રિકેટ પર નજર કરીએ તો, BCCIએ જસપ્રિત બુમરાહના રૂપમાં એક એડવાન્સ પ્લાન તૈયાર કર્યો છે. જસપ્રીત બુમરાહ સારો ખેલાડી છે. આપણે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની વિશે વાત કરીએ છીએ પરંતુ જસપ્રિત બુમરાહ કેટલીક બાબતોને સારી રીતે સંભાળે છે. તે ઈજા બાદ વાપસી કરી ચૂક્યો છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
તેમ છતાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તમે જસપ્રીત બુમરાહને ટેસ્ટ મેચની કપ્તાની આપી શકો છો. બુમરાહે ઈંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરી હતી. એટલા માટે તે કેપ્ટનશિપને લાયક છે.”