ઈશાન-શ્રેયસની આવડત પર કોઈ શંકા નથી તો પછી કોન્ટ્રાક્ટ કેમ છીનવાઈ ગયો? સમજશો તો ખ્યાલ આવી જશે

Desk Editor
By Desk Editor
Share this Article

Cricket News: શ્રેયસ અય્યર અને ઈશાન કિશન પાસે હવે BCCI કોન્ટ્રાકટ (BCCI annual Contract) નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે 2023-24 માટે કોન્ટ્રાક્ટ લિસ્ટ બનાવતી વખતે આ બે ખેલાડીઓના નામ પર પણ વિચાર કર્યો ન હતો. શ્રેયસ અય્યર (Shreyas Iyer) ODIમાં 50 થી વધુની એવરેજથી રન બનાવે છે જ્યારે ઈશાન કિશને  (Ishan Kishan)  બેવડી સદી ફટકારી છે. તેની પ્રતિભા વિશે કોઈને શંકા નથી.

તો પછી વાત ક્યાં ખોટી પડી? શા માટે BCCIએ શ્રેયસ અય્યર અને ઈશાન કિશનનો કોન્ટ્રાક્ટ છીનવી લીધો? શું તે બંને સેશન દરમિયાન જ કરારની સૂચિમાં પાછા આવી શકે છે? જો હા, તો કેવી રીતે? જો નહીં તો શા માટે?

BCCIએ બુધવારે 2023-24 માટે નવા વાર્ષિક કરારની જાહેરાત કરી હતી. આ વખતે બોર્ડે 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. ગત સિઝનની યાદી કરતાં 4 ખેલાડીઓ વધુ છે.

તેમ છતાં, શ્રેયસ અય્યર અને ઇશાન કિશનના નામ યાદીમાંથી ગાયબ જોઈને ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું. ઈરફાન પઠાણ જેવા દિગ્ગજોએ પણ બીસીસીઆઈના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા.

રણવીર પહેલા 6 જગ્યાએ મોં મારી ચૂકી છે દીપિકા, ધોનીથી લઈને યુવરાજ સુધીના સાથે અફેર, પટેલનું નામ સાંભળી ચોંકી જશો.

માર્ચમાં કમોસમી વરસાદ બાદ ફરીથી ઠંડી લોકોને ધ્રુજાવશે, કરોડો ગુજરાતીઓ માટે અંબાલાલની હાજા ગગડાવતી આગાહી

જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા અને પ્રેસ રિલીઝ દ્વારા નવા કરાર વિશે માહિતી આપી હતી. જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બાબતે BCCI દ્વારા કશી સ્પષ્ટતા કરાઇ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોર્ડે શ્રેયસ અને ઈશાનને અનુશાસનહીનતા માટે દોષિત ગણ્યા છે.


Share this Article
TAGGED: